1. Home
  2. Tag "FARMER"

ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય

નવી દિલ્હીઃ ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં ખેડૂતો સાથે ઠગાઈ આચરનારી નકલી બિયારલ વેચતી ટોળકી સક્રીય હોવાનું જાણવા મળે છે. સાત વર્ષના સમયગાળામાં આ રાજ્યોમાં નકલી બિયારણના કેસ સામે આવ્યાં છે. સમગ્ર દેશમાં માત્ર આંધ્રપ્રદેશમાં નબળી ગુણવત્તાવાળા બિયારણ અને નકલી બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોને 2.08 લાખનું નુકશાન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાની અંગે 29800 હેકટર જમીનમાં સર્વે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી અને અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. પુરને પગલે ખેડૂતોનો પાક પણ દોવાયો હતો. દરમિયાન રાજ્યમાં પૂરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન સરકાર દ્વારા 29800 હેકટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે […]

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સરકાર દ્વારા અધિકારીઓને સાબદા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ ફરીથી મેઘમહેર વરસાવવાની શરૂઆત કરી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં […]

કઠોળ-તેલીબિયાંના ઉત્પાદનના 50 ટકા જથ્થાની ખરીદીની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી

અમદાવાદઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSPયોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના […]

ગુજરાતઃ સુરતના 41 હજાર ખેડૂતોને કુદરતી ખેતીની તાલીમ અપાઈ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુદરતી ખેતી કોન્ક્લેવને સંબોધન કરશે. સુરત જિલ્લાના લગભગ 41 હજાર ખેડૂતોને કુરદતી ખેતી અંગે તાલિમ આપવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ, 2022માં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં તેમના સંબોધનમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને ખેતીની કુદરતી રીત અપનાવવા આહ્વાન કર્યું હતું. […]

ગુજરાતઃ 32 જિલ્લાના 219 તાલુકામાં મેઘમહેર, 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુસીને વરસી રહ્યાં છે. ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. 24 કલાકમાં 33 પૈકી 32 જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી બારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. […]

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે જૂનાગઢ ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ […]

દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 9 લાખ હેકટરનો ઘટાડો, 99.63 લાખ હેકટરમાં વાવેતર

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે જો કે, હજુ સુધી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજુ મેઘરાજાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં દેશમાં હાલ ખરીફ વાવેતરમાં 9 લાખ જેટલા હેકટરનો ઘટાડો થયો છે. ગયા વર્ષે 1.08 કરોડ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જ્યારે […]

ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ વાવેતર વધ્યું, 2.53 લાખ હેકટરમાં વાવેતર

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર થયું મગફળી અને કપાસનું વધારે વાવેતર થશે 15મી જુલાઈએ વાવણી પૂર્ણ થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે, બીજી તરફ ખેડૂતો પણ વાવણીમાં જોતરાયાં છે. દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 3.53 લાખ હેકટર જમીનમાં વાવણી થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે આ સમયમાં 2.18 લાખ હેકટરમાં વાવણી […]

ગુજરાતમાં 22 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 22 લાતુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 109 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દરમિયાન હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code