1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય
ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય

ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય

0
Social Share

નવી દિલ્હીઃ ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં ખેડૂતો સાથે ઠગાઈ આચરનારી નકલી બિયારલ વેચતી ટોળકી સક્રીય હોવાનું જાણવા મળે છે. સાત વર્ષના સમયગાળામાં આ રાજ્યોમાં નકલી બિયારણના કેસ સામે આવ્યાં છે. સમગ્ર દેશમાં માત્ર આંધ્રપ્રદેશમાં નબળી ગુણવત્તાવાળા બિયારણ અને નકલી બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોને 2.08 લાખનું નુકશાન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોએ નકલી બિયારણનું વેચાણ થતું હોવાની ફરિયાદ મળી હતી. વર્ષ 2015 થી 2022 દરમિયાન પાંચેય રાજ્યોમાંથી લગભગ 1.51 લાખ ક્વિન્ટલ નકલી બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

સાત વર્ષ દરમિયાન કર્ણાટકમાંથી 10600.74, આંધ્રપ્રદેશમાંથી 21724.68, ગુજરાતમાંથી 254.08, તેલંગાણામાંથી 117258 અને મહારાષ્ટ્રમાંથી 1180.07 ક્વિન્ટલ નકલી બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આંધ્રપ્રદેશમાં નકલી બિયારણ અંગે 8 કંપની સામે ફરિયાદ નોંધીને 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં 9 ફરિયાદમાં 38, તેલંગાણામાં 978 અને મહારાષ્ટ્રમાં 41 ફરિયાદમાં 223 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં કર્ણાટકમાં નકલી બિયારણને લઈને સૌથી વધારે 45 ફરિયાદ નોંધાઈ હતી.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code