1. Home
  2. Tag "farmers"

વાવ અને સુઈગામના 22 ગામોના ખેડૂતોએ કેનાલના અધૂરા કામ અંગે રજુઆત કરી

ખેડુતોએ થરાદની નર્મદા નિગમની કચેરી કરી રજુઆત, કેનાલની આજુબાજુ રસ્તો બનાવવા માગ, કેનાલના અધૂરા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓએ આપી હૈયાધારણ પાલનપુરઃ બનાસકાંઠા અને થરાદ વિસ્તારમાં નર્મદાની પેટા તેમજ સબપેટા કેનાલોના કામ હજુ બાકી છે. ત્યારે સિંચાઈનો લાભ ન મળતા વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. […]

ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત બન્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત […]

શેરડીના ખેડૂતો માટે વાજબી અને વળતરદાયક કિંમત રૂ. 355/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2025-26 (ઓક્ટોબર -સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત રિકવરી રેટ માટે રૂ. 355 / ક્વિન્ચલના દરે મંજૂરી આપી છે, જે 10.25% થી વધુની રિકવરીમાં દરેક 0.1% ના વધારા માટે રૂ. […]

ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ […]

ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે 5મી એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે

• ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. 17 માર્ચથી શુભારંભ કરાયો છે • ભારત સરકારે ઘઉં માટે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે • ખેડુત ખાતેદારો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે ગાંધીનગરઃ ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ […]

પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર દેખાવો કરનારા ખેડૂતોના તંબુઓ હટાવાયાં

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવ્યો અને તંબુઓ તોડી પાડ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ તૈનાતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા હતા. […]

અનુસુચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક જોડાણ પાછળ સરકારે 225.23 લાખની રાહત આપી

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજજોડાણમાં રાહત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. જે અંતર્ગત તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં રાજ્યના 2160 અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા વીજજોડાણ પેટે ભરવા પડતાં એસ્ટિમેટમાં કુલ રૂ. 225.23 […]

ખેડા જિલ્લાના 2,246 ખેડૂતોએ સ્માર્ટફોન સહાય યોજનાનો લીધો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના 2,246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ.100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ માહિતી વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી. ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત […]

કચ્છમાં બે વર્ષમાં 4088 ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર પાસેથી સહાય લીધી

ગાંધીનગરઃ ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં […]

ખેડૂતો હવે રી-જનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્બન ક્રેડિટથી વધારાની આવક મેળવી શકશે

નવી દિલ્હીઃ ભારતીય ખેડૂતો હવે રી-જનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્બન ક્રેડિટથી વધારાની આવક મેળવી શકશે. આ માટે રૂપે એપ અને કાર્બન- જી એ પરસ્પર કરાર કર્યા છે. આ સંસ્થાઓના સહયોગથી ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવાના પ્રયાસો કરાશે. કાર્બન ક્રેડિટ મારફતે ખેડૂતો જોડાઈને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે છે અને વધારાની આવક મેળવી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code