1. Home
  2. Tag "farmers worried"

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણને કારણે ખેડુતો બન્યા ચિંતિત

અમિરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા ઘઉં, બટાકા અને વરિયાળી સહિત તૈયાર થયેલા પાકને માવઠાથી નુકસાનીની ભીતિ વાતાવરણના પલટાથી જીરાના પાકને પણ નુકશાન થશે પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકાશ વાદળછાંયુ બન્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ […]

બનાસકાંઠામાં 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડુતો ચિંતિત

અનાજ પલળે નહીં તે માટે માર્કેટ યાર્ડને અપાઈ સુચના ખેડુતોને પણ અનાજ સહિતને પાક ખૂલ્લામાં ન રાખવા અપીલ કરાઈ ડીસામાં સવારથી જ ધુમ્મસ છવાયું પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તા. 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં એલર્ટ જાહેર કરાતા ખેડુતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ અને ભારે પવનને લીધે રવિપાકને નુકશાન થવાનો […]

કચ્છના નાના રણમાં માવઠાની આગાહીને લીધે મીઠાના વેપારીઓ અને અગરિયાઓ ચિંતિત બન્યા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરતાં જિલ્લાના ખારાઘોડા અને પાટડી વિસ્તારના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓ ચિંતિત બન્યા છે. કારણ કે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, અને હજુ 40 ટકા જેટલું મીઠું હજી રણમાં પડ્યું છે. […]

ઉનાળાના આગમમને મહિનો બાકી છે, ત્યારે પણ આંબાઓ પર મોર ન આવતા ખેડુતો બન્યા ચિંતિત

તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં તલાળા ગીર વિસ્તાર તેમજ ઊના પંથકમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. આ વિસ્તારની કેસર કેરી સ્વાદમાં સુમધૂર હોવાથી દેશભરમાં જાણીતી છે. અને હવે તો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે ઉનાળાના આગમનને એક મહિનો બાકી રહ્યો છે. મહા મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. કેસર કરીના આંબા પર પોષ મહિનામાં જ મોર […]

મહેસાણા જિલ્લામાં રાયડાના પાકમાં મોલોસલી અને એરંડામાં સુકારાના રોગથી ખેડુતો ચિંતિત

મહેસાણાઃ જિલ્લામાં આ વખતે રાયડા અને એરંડાના પાકનું સારૂએવું વાવેતર થયુ છે. સાનુકૂળ વાતાવરણને કારણે ખેડુતોને સારૂએવું ઉત્પાદન મળવાની આશા જાગી હતી ત્યાં જ  એરંડાના પાકમાં સુકારાનો રોગ તેમજ રાયડાના પાકમાં મોલોમશી નામનો રોગ આવતાં  ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહેસાણા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે. જિલ્લાના  ખેડૂતો  બટાટા, કપાસ, તમાકુ, એરંડા, […]

ઉત્તર ગુજરાતમાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો ચિંતિત

પાટણ:  ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચોળો જોવા મળી રહ્યો છે. એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો ચિંચિત બન્યા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતો નથી. ઉત્તર ગુજરાતમાં […]

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદના હવામાન વિભાગની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ક્મોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજયમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની શક્યતા છે. જયારે […]

ગુજરાતમાં 25 લાખથી વધુ હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ, વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યાં ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંચુ રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ હજુ સુધી પડ્યો નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ રાજ્યના અનેક જિલ્લાઓ ભર અષાઢે કોરા છે. રાજ્યમાં  વરસાદ ખેંચાતા ખેડૂતો મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code