1. Home
  2. Tag "farmers"

તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે […]

પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

પાટણ : ઉત્તર ગુજરાતમાં સમૃદ્ધ જિલ્લો ગણાતા પાટણ કૃષિપાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે  ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં […]

ફુલોની ખેતી કરનારા ખેડુતોને પુરતા ભાવ ન મળતા કાશ્મીરી ગુલાબ પશુઓને ખવડાવી રહ્યા છે

વડોદરાઃ રાજ્યમાં અમદાવાદની આસપાસ ગુલાબ અને ગલગોટાની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત પંચમહાલના કાલોલ તાલુકો, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ફુલોની ખેતીથી ખેડુતો સારી આવક મેળવતા હતા. પંચમહાલના કાલોલ વિસ્તારમાં કાશ્મીરી ગુલાબનું સારૂએવું ઉત્પાદન થયુ છે, પણ ખેડુતોને યોગ્ય ભાવ મળતા જ નથી. ફુલોને માર્કેટમાં વેચવા જવાનો ખર્ચ પણ નિકળતો નથી આથી ખેડૂતો પોતાના ઢોરને […]

ગુજરાતના ખેડુતો હવે એફ-સી જાતના લેઈઝ ચીપ્સ માટે બટાકાની ખેતી કરી શકશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો ઠોકનારી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સામે હારી ગઈ છે અને તેનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઇન ઇન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી કંપનીને જોરદાર લપડાક આપી છે. હવે બટાકાની FC-5 નામની જાત […]

કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી

દિલ્હીઃ ખેડૂતોને પોતાના પાકના પુરતા નાણા મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસ સહિતના વિવિધ પાકની ખરીદી કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોના ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ માર્કેટિંગ સિઝનમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી […]

લોકસભા શિયાળુ સત્રઃ કૃષિ કાનૂન પરત ખેંચવાનું બિલ પાસ

દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આરથી પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાનૂન બિલ રજૂ કર્યું હતું. જે પાક થયું હતું. તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે, લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરતા હતા ત્યારે વિપક્ષે ચર્ચા કરવાની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની […]

કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, હવે સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ નહીં યોજાય

સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ સ્થગિત સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોએ આ નિર્ણય લીધો કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: ખેડૂતો પોતાની માંગ પર તો અડગ છે પરંતુ હવે ખેડૂતોએ એક મોટો નિર્ણય લેતા સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ કૃષિ કાયદાની વાપસી બાદ […]

ગુજરાતના ખેડુતોને મોબાઈલ સ્માર્ટફોન માટે સરકાર રૂ.1500ની સહાય આપશે

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજનાને સરકારે મંજૂરી આપી છે. જે મુજબ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા બદલ મહત્તમ 1500 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજનાનો એક લાખ ખેડુતોને જ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા ખરીદ કરાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા અથવા 1500 રૂપિયા બેમાંથી જે ઓછી […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

દિલ્હીઃ PM મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત, આંદોલન ખતમ કરવા ખેડૂતોને અપીલ

દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી અને લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) અને ઝીરો બજેટ ફાર્મિંગની ભલામણ કરવા માટે બહુપક્ષીય સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ગુરુ નાનક દેવજીના દેવ દિવાળી અને પ્રકાશ પર્વના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે ​​અહીં કહ્યું હતું કે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code