1. Home
  2. Tag "government"

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રકમ વસૂલવામાં આવશે. આ નિયમો […]

મહારાષ્ટ્રઃ વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રૂ. 1,339.49 કરોડ કર્યાં જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રૂ. 1,339 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં, રૂ. 1,339.49 કરોડ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સહાય રાજ્ય આપત્તિ રાહત ભંડોળ દ્વારા પૂરી […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ક્રિટિકલ મિનરલને ગૌણ સ્ત્રોતોમાંથી અલગ કરવા અને ઉત્પાદન કરવા માટે રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલની સ્થાનિક ક્ષમતા અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવાનો છે. […]

મરાઠા-કુણબી એક છે અને સરકાર બે મહિનાની અંદર આ અંગે GR જાહેર કરશેઃ મનોજ જરંગે

મુંબઈઃ મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગે-પાટીલે સરકારે તેમની માંગણીઓ સ્વીકાર્યા બાદ તેમના 5 દિવસના ઉપવાસનો અંત કર્યો હતો. તેમણે જળ સંસાધન મંત્રી અને કેબિનેટ સબ-કમિટીના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે-પાટીલના હાથે લીંબુ પાણી પીને ઉપવાસ તોડ્યા. જરંગેએ કહ્યું કે આ ફક્ત મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે “સુવર્ણ દિવસ” છે. તેમણે […]

સરકાર પૂરગ્રસ્તોને નાણાકીય સહાય પૂરી પાડતી રહેશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કહ્યું કે મોદી સરકાર પીડિતોને નાણાકીય અને અન્ય સહાય પૂરી પાડતી રહેશે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે જમ્મુમાં તાજેતરના પૂર પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. “પાણી પુરવઠા અને આરોગ્ય […]

રેખા ગુપ્તાની સુરક્ષા પાછી દિલ્હી પોલીસના હાથમાં, સરકારે CRPF હટાવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ ફેરફાર કર્યો છે. આ મુજબ, હવે દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષા દિલ્હી પોલીસને પાછી સોંપવામાં આવશે. કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આપવામાં આવેલી CRPFની ‘Z શ્રેણી’ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય હુમલાના થોડા દિવસો પછી લેવામાં આવ્યો છે જેના કારણે […]

કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે.” જયારે 130મા બંધારણ સુધારા બિલ પર અમિત શાહે સ્પષ્ટતા કરી કે, કાયદો બધા માટે એકસમાન હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવા પર વ્યક્ત વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, સંસદ ચર્ચા માટે છે વિરોધ માટે નહીં. […]

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર સરકાર હજુ પણ ચર્ચામાં સામેલ

સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકાર હજુ પણ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વોશિંગ્ટન સાથે ચર્ચામાં સામેલ છે, જેનો ઉદ્દેશ્ય ટેરિફ સ્થિરતા અને લાંબા ગાળાના વેપાર આગાહી દ્વારા વેપાર અને રોકાણનો વિસ્તાર કરવાનો છે. 7 ઓગસ્ટથી ભારતથી યુએસમાં નિકાસ કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓ પર 25 ટકાના દરે પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. એવો અંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code