1. Home
  2. Tag "Governor Acharya Devvratji"

દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં એન.સી.સી. – નેશનલ કેડેટ કૉરના તેજસ્વી કેડેટ્સના સન્માનમાં યોજાયેલા ‘એટ હૉમ’ કાર્યક્રમમાં કહ્યું હતું કે, એન.સી.સી.થી યુવાનોમાં અનુશાસન, દેશભક્તિનો ભાવ, સેવાભાવ અને રાષ્ટ્ર પતિ સમર્પણનો ભાવ પ્રગટે છે. યુવાનો જવાબદાર નાગરિક બને છે. આજે દેશને એન.સી.સી.ની વિશેષ જરૂર છે. […]

માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી : રાજ્યપાલ

ગાંધીનગરઃ 99 કરોડથી વધુ મતદાતાઓ ધરાવતા ભારતમાં આજે 15 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, ભારત જેવા મહાન લોકતાંત્રિક રાષ્ટ્રમાં નાનામાં નાના નાગરિકના મતનું-અભિપ્રાયનું મૂલ્ય છે. લોકતંત્રથી આપણો દેશ દિવસો દિવસ […]

પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે, ખેડૂતો ખોટી ચિંતા મૂકીને પૂર્ણ પ્રમાણિકતાથી પાંચ આયામોનું પાલન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી, ખેતી ખર્ચ બિલકુલ ઓછો થઈ જાય છે, ખેત ઉત્પાદનોની કિંમત પણ વધુ મળે છે, ખેડૂતોની […]

જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુત સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા – પરિષદ યોજી રાજ્યપાલએ ૧૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું. આ તબક્કે, રાજ્યપાલએ શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન – […]

સ્વતંત્રતા દિવસ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી

ગાંધીનગરઃ 78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું. ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો. 15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય […]

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]

વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવનમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહેલા આ બંને રાજ્યોના યુવાનોએ આ અવસરે પોતાના પ્રદેશના લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા.  ભારતમાં પૂર્વોત્તર રાજ્ય પૈકીના બે; અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી […]

ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે […]

આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસની સાથે આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ તેમના સંબોધનમાં […]

સીમાવર્તી ગામોમાં ખેડૂતો અન્નદાતાની સાથે સીમાના પ્રહરી પણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. રાજ્યના કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તમામ ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશના અન્ય ભાગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code