ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરબદલ: 72 IAS અધિકારીઓની બદલી
ગાંધીનગર, 13 મે 2026: IAS Officers Transferred રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની સાગમટે બદલી અને નિમણૂંકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ મોટા ફેરબદલમાં અનેક જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારીઓ બદલવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરવામાં આવી છે, તેમના સ્થાને ભવ્ય વર્મા […]


