રાજ્ય કર્મચારી મહામંડળે વણઉકલ્યા પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજુઆત
ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર પૂર્વ મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી 13 પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા વધુ એકવાર નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ રાખી સત્વરે નિરાકરણ લાવવાની માંગણી કરી છે. […]