1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે શંકર ચૌઘરી ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને પસંદ કરાયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 16 જેટલા મંત્રીઓએ શપથ લઈને કાર્યભાર સંભ્યાળ્યો છે. ત્યારબાદ ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેના નામની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં પ્રચંડ […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ, કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટુંકા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે. કોંગ્રસે દ્વારા સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ આખરી સત્ર હોવાથી વિપક્ષના ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજુઆત માટે આક્રમક બનશે. ભાજપના મંત્રીઓએ પણ વિપક્ષના પ્રશ્નોનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન સરકાર દ્વારા બે દિવસીય સત્રમાં […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રમાં ઢોર નિયંત્રણના કાયદાને રદ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો  21મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસીય સત્રમાં ઢોર નિયંત્રણ કાયદાને રદ કરતું વિધેયક લાવવામાં આવશે. સરકારે ગયા સત્રમાં શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણનો કાયદો ઘડ્યો હતો. પરંતુ કાયદાનો અમલ કરી શકાયો નહતો. કારણ કે માલધારી સમાજ દ્વારા આ કાયદા સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી […]

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના […]

અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અમદાવાદ : વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત […]

ગુજરાત સરકાર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા વિધાનસભામાં 31મી માર્ચે કાયદો ઘડશે,

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોર ત્રાસની અનેક ફરિયાદો ઊઠી છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી. રાજકોટમાં છેલ્લા સપ્તાહમાં રખડતા ઢોરે અડફેટે લેતા કનું મોત અને ત્રણને ઈજા થયાના બનાવો બન્યા હતા. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે સરકાર વિધાનસભામાં કાયદો લાવી રહી છે.રાજ્યમાંથી રખડતા ઢોરનો ત્રાસ […]

ગુજરાતે માત્ર પોલિટીક્સ જ નહીં પણ સાંસ્કૃતિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છેઃ રાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધનમાં ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈને યાદ કરીને ગુજરાતના વખાણ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર પોલિટિક્સમાં જ નહીં પણ સાંસ્કૃતિક, સામાજિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત સાથે મારો નાતો જૂનો છે. 70 ના દાયકાથી મારુ અહી આવવા-જવાનુ થાય છે. મારી પ્રત્યેક યાત્રામાં […]

રાષ્ટ્રપતિ રામનાથજી કાલે ગુરૂવારે વિધાનસભામાં લોકશાહી-નૈતિક મૂલ્યો વિશે સંબોધન કરશે

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કાલે ગુરુવારે ગુજરાત વિધાન સભા ગૃહમાં હાજરી આપશે તથા ગૃહના સભ્યોને સંબોધન કરશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઇ રાજ્યના વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીનાં 75 વર્ષની ઊજવણી સંદર્ભે […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.  સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code