1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ
ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના 10 દિવસ પણ ઓછા પડે તેમ છે.

ગુજરાત સરકારનું છેલ્લું વિધાનસભાનું સત્ર બે દિવસનું બોલાવવાનું નક્કી થતાં કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંકા સત્ર મુદ્દે આકરા પ્રહારો કરીને સરકાર પાસે 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી છે.​​​​​​ હાલની ભાજપ સરકાર માટેનું  છેલ્લું વિધાનસભાનું સત્ર આગામી તા. 22 અને 23 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા આ ટૂંકા સત્રને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બે દિવસના બદલે 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરી છે. આ માંગણી સંદર્ભે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યો પ્રશ્નો પૂછી ન શકે તે માટે અને ચર્ચાઓ ન થાય તે માટે ટૂંકી મુદતની સત્ર બોલાવવામાં આવ્યું છે.​​​​​​​

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંકું સત્ર બોલાવીને ગુજરાત વિધાનસભામાં પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.​​​​​​​  સરકારનું સંચાલન કરવાવાળા હોશિયાર માણસો છે. વિધાનસભાના કલાકો વધારીને રાત્રે બાર વાગ્યા સુધી, બે વાગ્યા સુધી ચર્ચાઓ કરીને બિલો પાસ કરવાનો પ્રયત્નો કરવામાં આવતો હોય  છે. ભારતના બંધારણની કલમ-174ની જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર 6 મહિનાની અંદર મળવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. છેલ્લે ગુજરાત વિધાનસભાનું સત્ર તા.1-4-2022થી મળેલ હતું એટલે કે તા.-1-10 2022 પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે. એટલે રાજ્ય સરકારને પહેલાંથી જ ખબર હતી કે વિધાનસભાનું સત્ર તા.01-10-22 પહેલાં બોલવવું પડશે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સત્ર બોલવવાની જાહેરાત સમયસર ન કરીને ટુંકી મુદ્દતથી વિધાનસભાનું સત્ર બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે તેના કારણે ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્નો પુછવા સહિતના હક્કો છીનવાઈ ગયા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code