1. Home
  2. Tag "Gujarati Headlines"

ઊના દલિતકાંડમાં 10 વર્ષે ચુકાદો, પાંચ આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

વેરાવળ, 17 માર્ચ 2026: Court sentences five accused to 5 years in prison ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે 10 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2016માં દલિત યુવાનોને મૃતક ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી કેસમાં વેરાવળની સેશન્સ કોર્ટે 5 આરોપીને દોષિત ગણીને 5 વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. […]

દાંતીવાડા નજીક પૂરઝડપે કાર ઝાડ સાથે અથડાતા લાગેલી આગમાં બેના મોત

પાલનપુર, 17 માર્ચ 2026: Speeding car hits tree બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દાંતીવાડાના ઓઢવા ગામ નજીક સર્જાયો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી […]

સાણંદના વિરોચનગર નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગતા બેના મોત

અમદાવાદ, 17 માર્ચ 2026: Triple accident on highway near Sanand અમદાવાદ-વિરમગામ હાઈવે પર સાણંદના વિરોચનનગર ગામ નજીક ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર […]

વડોદરામાં અંબિકાધામ ફ્લેટ્સના મકાનની બાલ્કની ધસી પડતા બે ઘવાયા, 20નું રેસ્ક્યુ કરાયું

વડોદરા, 17 માર્ચ 2026: balcony of Ambikadham Flats  collapses શહેરના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના બે માળની બાલ્કની એકાએક તૂટી પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફલેટમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા […]

કાંકરિયા ઝુમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક માટે એરકૂલરો મુકાયા, પાણીનો સતત છંટકાવ

અમદાવાદ, 17 માર્ચ 2026: Air coolers installed in Kankaria Zoo to cool animals and birds ઉનાળામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ હાલ તાપમાનમાં ઘટાડો થયો છે. પણ એકાદ સપ્તાહમાં ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ઠેર ઠેર એરકૂલરો મુકવામાં આવ્યા છે. […]

યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, હેરિટેજ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરશે

અમદાવાદ, 17 માર્ચ 2026: UNESCO delegation to arrive in Ahmedabad tonight વર્લ્ડ હેરિટેજસિટી ગણાતા અમદાવાદ શહેરની મુલાકાતે યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે રાત્રે આવી પહોંચશે. પ્રતિનિધિ મંડળ શહેરમાં 5 દિવસના રોકાણ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, દાણાપીઠ ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના હેરિટેજ બિલ્ડીંગના ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી ચર્ચા […]

ગુજરાતમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો વધારો

ગાંધીનગર, 17 માર્ચ 2026: Number of trees outside forest areas increased by 47.18 percent in last 12 years ગુજરાત વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ માટેની અંદાજપત્રીય માગણીઓ વિશે અને આગામી આયોજન વિશે વાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત વન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં મજબૂત અને […]

રાજ્યમાં PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એક સરેન્ડર કરવું પડશે

ગાંધીનગર, 16 માર્ચ, 2026: LPG will have to be surrendered from both PNG-LPG connections રાજ્યમાં LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ LPG સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય […]

સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર હિતમાં ઉપયોગ કરવો જોઈએ: રાજ્યપાલ

પાલનપુર, 16 માર્ચ 2026: Graduation ceremony  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ગરિમામય સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં ૭ ચાન્સેલર ગોલ્ડ મેડલ, ૬ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ […]

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો 19મી માર્ચથી થશે પ્રારંભ

ગાંધીનગર, 16 માર્ચ 2026: Narmada Parikrama ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી; પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code