1. Home
  2. Tag "Gujarati news"

કલોલ નજીક રબ્બરની ફેકટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી-2026:  જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામની સીમમાં આવેલી એક રબ્બર ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. રબ્બરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિરકાળરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી […]

રાજકોટમાં વસતી ગણતરી માટે પુરતા કર્મચારીઓ ન હોવાથી RMCની મુંઝવણ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: શહેરમાં SIRની કામગીરીથી શિક્ષખો-કર્મચારીઓ ફ્રી પડ્યા ત્યાંજ હવે વસતી ગણતરીની જવાબદારી આવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે તબક્કે વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ ઘરની ગણતરી કરાશે. લોકોએ અન્ય વિગતો પણ આપવી પડશે. વસતી ગણતરીની કામગીરી માટે રાજકોટ મ્યુનિને  5,000 કર્મચારીઓની જરૂર પડશે. જેની સામે આરએમસી તેમજ આરએમસી સંચાલિત સરકારી […]

વડોદરામાં શિવજી કી સવારીમાં હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાં

વડોદરા, 15 ફેબ્રુઆરી-2026:  આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી નિકળતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની નગરચર્યા દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા […]

જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા

સુરત, 15 ફેબ્રુઆરી-2026: ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓ સામે પોલીસ સક્રિય છે, છતાં માત્ર વચેટિયાઓ કે બેન્ક ખાતા ભાડે આપનારા જ પકડાય છે. પણ મગરમચ્છો હાથમાં આવતા નથી. રાજ્યમાં સાયબર માફિયા સામે સુરત પોલીસ વધુ એક્ટિવ છે. ત્યારે સાયબર ક્રાઈમમાં કૂખ્યાત બનેલા જામતારાની ગેંગ સાથે સંકળાયેલા 3 શખસોની પોલીસે ધરપકડ કરી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન માટે ટેન્ડરની પ્રકિયા હાથ ધરાઈ

અમદાવાદ, 15 ફેબ્રુઆરી-2026: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધતું જાય છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન કરવાનો નિર્ણ લેવાયા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડરીંગ પ્રકિંયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે સિક્સલેનનો થતાં અમદાવાદથી વડોદરા ઝડપથી પહોંચી શકાશે. સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ […]

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]

માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા પોઈચામાં ચિંતન શિબિર

રાજપીપળા, 13 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચાથી માહિતી ખાતાની તા.૧૩ અને ૧૪ ફેબ્રુ-દરમિયાન બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે […]

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેએ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિરોધ

જામનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં વર્ષો પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ આ રેલવેની જમીન હોવાનો દાવો કરીને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારતા રહિશોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ આજે સતત બીજ દિવસે પણ દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત  સ્થાનિક […]

ધારી-જુનાગઢ-સોમનાથ વચ્ચે મીટરગેજ ટ્રેન 22 ફેબ્રુઆરીથી દોડશે

અમરેલી,13 ફેબ્રુઆરી 2026:  વર્ષો પહેલા નેરોગેજ ટ્રેનો હતી ત્યારબાદ મીટરગેજ ટ્રેનો દોડતી થઈ, હવે તો દેશભરમાં બ્રોડગેડ લાઈનો જ છે. પણ કેટલાક સ્થળોએ દેશી રજવાડા વખતની મીટરગેજ લાઈનો જર્જરિત અવસ્થામાં પડેલી છે. આવી મીટરગેજ લાઈનો પર ટ્રેનો દોડાવવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના લોકો માટે પણ ઉપયોગી બની શકે તેમ છે. ત્યારે રજવાડાના સમયની યાદ અપાવતી […]

શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કૂતરાની ગણતરીની  કામગીરી સોંપાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને સરકાર સામે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધની ચીમકી આપી છે. તો બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code