1. Home
  2. Tag "Gujarati Report"

અમદાવાદના સિંધુભવન રોડ પર કારચાલકનો કહેર, 2 હોમગાર્ડ સહિત 5 લોકો અડફેટે લીધા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતે ફરી એક વાર નબીરાઓની બેફામગીરીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અર્બન ચોક પાસે ફુલ સ્પીડમાં દોડતી કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. સદ નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અર્બન ચોક સામે […]

એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ: ભારતે પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય પુરુષોની રિકર્વ ટીમે એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 2007 પછી ચેમ્પિયનશિપમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. મેચમાં, યશદીપ સંજય ભોગે, અતનુ દાસ અને રાહુલની બનેલી ભારતીય ટીમે શૂટ-ઓફમાં 5-4 ના નાના માર્જિનથી જીત મેળવી. બંને ટીમોએ 29-29 પોઈન્ટ બનાવ્યા, પરંતુ રાહુલનો તીર સૌથી […]

ઝારખંડના સ્થાપના દિવસઃ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઝારખંડવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ ભારતના 15 નવેમ્બર, 2000ના રોજ સ્થાપિત થયેલા રાજ્ય ઝારખંડે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરીને રજત જયંતિની ઉજવણી કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે. ત્રણેય મહાનુભાવોએ રાજ્યની સતત પ્રગતિ અને તેના તમામ રહેવાસીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની કામના […]

ભારતીય સેનાએ હિમાલયના 16,000 ફૂટની ઊંચાઈએ હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવી

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ હિમાલયના હજારો ફૂટ ઊંચા,બર્ફીલા અને મુશ્કેલ પ્રદેશોમાં સૈન્ય પુરવઠાની સમસ્યા હલ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ નવીનતા દર્શાવી છે. આર્મીના ગજરાજ કોર્પ્સ દ્વારા 16,000 ફૂટની ઊંચાઈ પર કાર્યરત થઈ શકે તેવી સ્વદેશી હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ ખાસ કરીને કામેંગ હિમાલય જેવા વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ અને અણધારી હવામાનને કારણે […]

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, ઇન્સ્પેક્ટર સહિત 10નાં મોત

શ્રીનગરઃ દિલ્હી વિસ્ફોટની તપાસ હજુ ચાલુ જ છે દરમિયાન મોડીરાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ અંદાજે પાંચ કિલોમીટર સુધી સાંભળાયો હતો. ઘટનામાં અત્યાર સુધી ઇન્સ્પેક્ટર સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી દીધી છે. […]

જામનગરઃ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળાના આરંભ સાથે વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

ગુજરાતના જામનગર નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય શિયાળાની શરૂઆત થતાં જ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને હજારો પક્ષીઓના કલરવથી આ જગ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે. જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર અને લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યની વિશેષતા તેના મીઠા પાણીના સરોવર અને […]

એસ. જયશંકરે અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલના પરિષદની કરી અધ્યક્ષતા

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય કોન્સ્યુલ જનરલના પરિષદની અધ્યક્ષતા કરી. દેશભરના મિશનના વરિષ્ઠ ભારતીય રાજદૂતોએ ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સહયોગ અને ભારતીય ડાયસ્પોરા સાથેના જોડાણની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજી હતી. ન્યૂ યોર્કમાં યોજાયેલી આ બેઠકમાં વોશિંગ્ટન, ડી.સી.માં ભારતીય દૂતાવાસના વરિષ્ઠ રાજદૂતો તેમજ ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન, બોસ્ટન, […]

પીએમ મોદી સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

સુરત: પ્રધાનમંત્રીના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગે લેશે. નર્મદામાં આજે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં મોદીનું સ્વાગત કરશે. આ પ્રસંગે મોદી કેન્દ્ર સરકાર […]

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે. નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તેમણે તેને લોકશાહીનો વિજય ગણાવ્યો જે દેશની ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસને વધુ મજબૂત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code