1. Home
  2. Tag "Gujarati samachar"

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]

પીએમઈજીપી યોજના: લાભાર્થીઓને રૂ. 300 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ 17 જૂન 2025ના રોજ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 11480 સેવા ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ 906 કરોડ રૂપિયાની લોન મંજૂર સામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજઘાટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જ્યાંથી કેવીઆઈસીના […]

વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13.40 કરોડ ખેડૂતોને આવરી લેવાયાઃ શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં આદિવાસી […]

ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા તેલંગાણા સરકાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે

બેંગ્લોરઃ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર કાનૂની લડાઈ માટે નિષ્ણાતોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે, સરકાર તેલંગાણાના […]

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 […]

ત્રણ દેશની સફળ યાત્રા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી આજે ગુરુવારે ભારત પરત ફર્યા. તેમણે ક્રોએશિયામાં તેમની મુલાકાતનો છેલ્લો તબક્કો પૂર્ણ કર્યો, જે કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાતને ભારત અને ક્રોએશિયા વચ્ચે મિત્રતા અને સહયોગના નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી પહેલા સાયપ્રસની મુલાકાત […]

ઓપરેશન સિંધુ : ઈરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઑને પરત લવાયા

નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જેના પ્રથમ પગલા તરીકે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે, વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ખાસ ફ્લાઇટમાં યેરેવનથી રવાના થયા છે અને […]

દિવસમાં કેટલી વાર અને કયા સમયે છાશ પીવી જોઈએ?

ઘણા લોકો ઉનાળામાં છાશ પીવાનું પસંદ કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પરંતુ તેને વધુ પડતું પીવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. તેથી, દિવસમાં કેટલી વાર અને કયા સમયે છાશ પીવી જોઈએ. તે ઓછા લોકો જાણે છે. છાશ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12 જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. આ સાથે, […]

રાઈ અને આમળાના તેલથી વાળને મળે છે પુરતુ પોષણ, જાણો ફાયદા

વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, મોટાભાગના લોકો નારિયેળ અથવા રાઈ અને આમળા તેલનો ઉપયોગ કરે છે. આ બંને તેલ વાળ માટે અલગ અલગ રીતે ફાયદાકારક છે. સરસવના તેલમાં વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટ્સ, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. આ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં, […]

અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી અનેક ગુનામાં સંડોવાયેલો છે, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો, હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી ત્રણ વર્ષથી ફરાર હતો અમદાવાદઃ શહેરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સાગરિતને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી વિવિધ રાજ્યોમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અને ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો. ત્રણ વર્ષ પહેલા શહેરના પંચવટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code