1. Home
  2. Tag "heavy rains"

રાજ્યમાં ભારે વરસાદને પગલે 7 જિલ્લામાં અંદાજે 11800થી વધુનું સલામત સ્થળાંતર 

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવશ્રીએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ […]

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, તલોદ, બાયડ 8 ઈંચ, દાંતીવાડા ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોસ સર્જાયો છે. રવિવારે દિવસ દરમિયાન સાબરકાંઠાના તલોદ, અરવલ્લીના બાયડ અને ધનસુરા 8 ઈંચ વરસાદ તેમજ સાબરકાંઠાના પ્રાતિજમાં 7 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 5 ઈંચ, તથા બેથી ચાર ઈંચ સરેરાશ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે

અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર […]

ઓડિશામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, વીજળી પડવાની વિવિધ ઘટનામાં 10ના મોત

નવી દિલ્હીઃ ઓડિશોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન ઓડિશાના અલગ અલગ ભાગોમાં વીજળી પડતા 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે તો ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છ. જેઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઓડિશાના અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી […]

ઉમરાળા અને વલ્લભીપુર પંથકમાં વરસાદ ખમૈયા નહીં કરે તો કૃષિપાકને નુકશાનની ભીતી

ભાવનગરઃ  ગોહિલવાડમાં આ વખતે સારા વરસાદને કારણે નદી-નાળા છલકાય ગયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાળા, વલ્લભીપુર સહિત કેટલાક તાલુકામાં સતત વરસાદને લીધે કૃષિપાકને નુકશાનની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે,  ત્યારે ઉમરાળા અને વલ્લભીપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ […]

ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના,ગંગોત્રી-યમુનોત્રી અને બદ્રીનાથ હાઈવે બંધ

દહેરાદુન : ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે. દિલ્હીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. દિલ્હી સહીત આસપાસના રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો. ત્યારે હવે ઉત્તરાખંડના સમગ્ર કુમાઉ ડિવિઝનમાં મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર […]

ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન રદ કરાઈ

લખનૌઃ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિના કારણે વાહનવ્યવહારને પણ ઘણી અસર થઈ રહી છે. પૂર જેવી સ્થિતિના કારણે રેલવે ટ્રેકના પાટા ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. તેમજ કેટલાક સ્થળો ઉપર રેલવે ટ્રેક ધોવાયાની ફરિયાદો પણ […]

ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું

દિલ્હી :રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો વરસાદનો ક્રમ મંગળવારે પણ ચાલુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે રાજ્યભરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કુમાઉના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરાખંડના ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અટલ ટનલ અને બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ

દહેરાદુન:દેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. એક તરફ દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે લોકો પર હાહાકાર મચાવ્યો છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની અસર એ થઈ છે કે […]

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા

ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code