1. Home
  2. Tag "increase in cases"

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા  જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. […]

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાના પ્રારંભને પખવાડિયું વિત્યા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ બિમારીના દર્દીઓની દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 250થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો […]

અમદાવાદમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી, અને ટાઈફોડ તેમજ વાયરલ બિમારીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ભાદરવાના પ્રારંભથી જ વરસાદી માહોલ સર્જાતા તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય […]

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય સાથે પાણીજન્ય રોગોમાં વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. માત્ર 5 દિવસમાં ઝાડા ઊલટીના 255 કેસો, ટાઇફોઇડના 144 અને ડેન્ગ્યુના 83 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 28 કેસો છે. કોલેરાના 8 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 24 કેસો નોંધાયા છે. જ્યારે […]

ગુજરાતમાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસોમાં વધારા, સરકારે એડવાઈઝરી બહાર પાડી

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદી સીઝનમાં ભાવનગર ત્યારબાદ સુરત અને હવે રાજ્યભરમાં આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસ વધી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યમાં પણ આંખ આવવાનો રોગચાળો ફેલાતો હોય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આંખના ટીપાના વેચાણ 10 […]

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા મહિનાથી સમાયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેમજ ભેજવાળા વાતાવરણને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બિમારીનો ભોગ બનેલા દર્દીઓથી ખાનગી તેમજ સરકારી દવાખાના ઊભરાઈ રહ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતના પગલાં ભરવામાં […]

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક અને તાવ, ઝાડા-ઊલટીના કેસોમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. જેમાં પાંચ દિવસથી તાપમાન 43થી 45 ડિગ્રી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોકના તેમજ પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code