1. Home
  2. Tag "india"

ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી 1,200 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા  

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ઈરાનથી તેના નાગરિકોને મોટા પાયે બહાર કાઢવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઈરાનથી 1,200 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 845 વિદ્યાર્થીઓ છે. જયસ્વાલે જણાવ્યું […]

ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ વિદેશી ઉપગ્રહોમાંથી 90 ટકાથી વધુ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં અવકાશ સંશોધનનો […]

મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ભારત મિત્ર દેશોને બ્રહ્મોસથી સજ્જ નેક્સ્ટ જનરેશન યુદ્ધજહાજો વેચાશે

નવી દિલ્હી, 31 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સુરક્ષાના વધતા જોખમો વચ્ચે ભારતે પોતાની સંરક્ષણ રણનીતિમાં એક મોટું ડગલું ભર્યું છે. ભારત હવે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને ઘાતક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલથી સજ્જ ‘નેક્સ્ટ-જનરેશન મિસાઈલ વેસલ’ (એનજીએમવી) મિત્ર દેશોને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યું છે. માર્ચ 2026 માં લેવાયેલો આ નિર્ણય […]

ભારતમાં બે વર્ષમાં છ સેમિકંડક્ટર પ્લાન્ટ તૈયાર થશેઃ અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ, 31 માર્ચ 2026: ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંગળવારે સાણંદ ખાતે ‘કેયન્સ સેમિકોન’ના OSAT પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026 સુધીમાં ભારતમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ જવાની અપેક્ષા છે. આ વિકાસ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા […]

પીએમ મોદીએ મન કી બાત: ભારત કોવિડ સમયગાળાની જેમ વર્તમાન સંકટમાંથી પણ બહાર નીકળી જશે

નવી દિલ્હી, 29 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલનું સંકટ વધી રહ્યું છે. આજે ઓલ ઈન્ડિયા રેડિયોના “મન કી બાત” કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે વર્તમાન સમય પડકારજનક છે કારણ કે પશ્ચિમ એશિયા ભારતની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું […]

ભારતમાં માછીમારી આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

નવી દિલ્હી, 29 માર્ચ 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં મત્સ્યઉદ્યોગ આજીવિકા અને ખાદ્ય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે 90 લાખથી વધુ માછીમારોને ટેકો આપે છે, જેમાં મોટાભાગે નાના અને પરંપરાગત માછીમારો છે. ગોયલે કેમરૂનના યાઉંડેમાં વિશ્વ વેપાર સંગઠનના 14મા મંત્રી સ્તરીય પરિષદમાં મત્સ્યઉદ્યોગ સબસિડી પરના સત્રમાં વાત કરી […]

WTO: ભારતે વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા ઉપર ભાર મુક્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની 14મી મંત્રી સ્તરીય પરિષદનો કેમરૂનના યાઉન્ડે ખાતે ગત 26 માર્ચથી ઔપચારિક પ્રારંભ થયો છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પરિષદના પ્રથમ દિવસે જ વિશ્વ વ્યાપારના નિયમોમાં સમાનતા અને પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, […]

દેશમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી: હરદીપસિંહ પુરી

નવી દિલ્હી, 27 માર્ચ 2026: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે દેશવ્યાપી લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે અને હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ સાથે જ તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને LPG (રાંધણ ગેસ) ના સપ્લાયની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. દેશમાં ક્યાંય પણ […]

ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર

નવી દિલ્હી, 24 માર્ચ 2026: ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે ઓઈલ અને ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. કિંમતોને સ્થિર રાખવા માટે અમેરિકાએ ઈરાની ઓઈલ ઉપર લગાવેલો પ્રતિબંધ હળવો કર્યો છે. જેના કારણે દુનિયાના વિવિધ દેશો પણ ઈરાન પાસેથી ઓઈલની ખરીદી કરી શકે છે. દરમિયાન ઈરાને ભારતની રિફાઈરીઓને ઓઈલ ખરીદવા માટે ઓફર મોકલી […]

પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત -અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હી, 24 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં મુખ્યત્વે પ્રવર્તમાન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code