1. Home
  2. Tag "india"

પ્રજાસત્તાક પર્વને લઈને દેશમાં હાઈએલર્ટ, સરહદ ઉપર સુરક્ષા વધારાઈ

નવી, દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર સતર્કતા વધારી દેવામાં આવી છે. કોઈપણ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્કતા અને દેખરેખ વધારવા સૂચના આપવામાં આવી છે. ડ્રોન દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકોના પરિવહનની સંભાવનાને કારણે ડ્રોન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર […]

ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

દાવોસ, 22 જાન્યુઆરી 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક ‘શાનદાર’ વેપાર સમજૂતી થઈ શકે છે. PM મોદી મારા ‘ખાસ મિત્ર’ વિશ્વ મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

AI શક્તિ અર્થશાસ્ત્ર અને તેના ઉપયોગમાંથી આવે છે, મોડેલના કદમાંથી નહીં :વૈષ્ણવ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF), દાવોસ ખાતે “AI પાવર પ્લે, નો રેફરીઝ” શીર્ષક ધરાવતી પેનલ ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેના ભારતના અભિગમની રૂપરેખા આપી હતી, જેમાં મોટા પાયે AI પ્રસરણ, આર્થિક વ્યવહારિકતા અને ટેક્નો-લીગલ ગવર્નન્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક AI જોડાણો […]

બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી […]

દેશમાં સૌપ્રથમવાર રાત્રિના રાજા ઘુવડની વસ્તી ગણતરી થશે

કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે. રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી […]

બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં. તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ […]

ભારત-UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વેપાર 200 અબજ ડૉલરે પહોંચશે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code