1. Home
  2. Tag "india"

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 9 અબજ ડોલરનો વધારો થયો

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 3 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 9 અબજ ડોલરથી વધુ વધીને 6 ખરબ 97 અબજ 12 કરોડ 10 લાખ ડોલર થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એપ્રિલના પહેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. આ વધારો પાછલા સપ્તાહમાં 10 અબજ […]

ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથેની મુલાકાત બાદ, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ચર્ચામાં દરિયાઈ સહયોગ, વિકાસ ભાગીદારી, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ […]

ભારત હવે રનવે વગર ઉડી શકે તેવા અત્યાધુનિક રેસ્ક્યુ ડ્રોન વિકસાવશે

બેંગલુરુ, 9 એપ્રિલ 2026: સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે ભારત સરકાર હવે ભારતીય વાયુસેના માટે એક અત્યાધુનિક માનવરહિત વિમાન એટલે કે ડ્રોન વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ ડ્રોનની ખાસિયત એ હશે કે તેને ઉડાન ભરવા માટે કોઈ રનવેની જરૂર નહીં પડે અને તે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશમાં ફસાયેલા ભારતીય […]

ભારતનું વધતું સંરક્ષણ બજેટ અર્થતંત્રને આપશે નવી ગતિ: IMF

વોશિંગ્ટન, 9 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતની સંરક્ષણ નીતિઓને લઈને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) દ્વારા મહત્ત્વનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આઈએમએફના તાજા અહેવાલ મુજબ, ભારત દ્વારા જે રીતે ઘરેલું સંરક્ષણ ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જ્યારે સૈન્ય પાછળ […]

પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: એક તરફ આર્થિક અને આંતરિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ શાંતિ સ્થાપવા માટે બંને દેશોના નેતાઓની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત ફૂંક માર્યા વગર પાકિસ્તાનના પરમ મિત્ર ગણાતા દેશો સાથેના સંબંધો સુધારીને રાજદ્વારી ચેકમેટ આપી રહ્યું છે. ભારત અત્યારે અઝરબૈજાન, તુર્કી, […]

અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભીષણ જંગ હાલ પૂરતો થંભી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત કરી છે, જેના પર તેહરાને પણ પોતાની સંમતિ આપી દીધી છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોએ સ્વાગત […]

એરપોર્ટ સુરક્ષામાં ભારત બનશે આત્મનિર્ભર: સુરક્ષા ઉપકરણોના પરીક્ષણ માટે દેશનું પ્રથમ અત્યાધુનિક ટેસ્ટિંગ સેન્ટર સ્થપાશે

નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વિદેશી નિર્ભરતા ઘટશે નવી દિલ્હી, 7 એપ્રિલ 2026: ભારત સરકારે દેશના એરપોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા અને સુરક્ષા ઉપકરણોના પ્રમાણીકરણ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે એરપોર્ટ પર વપરાતા ‘ફુલ બોડી સ્કેનર’અને અન્ય સુરક્ષા સાધનોના પરીક્ષણ માટે ભારત અન્ય દેશો પર નિર્ભર નહીં […]

રોકાણકારોમાં ભારત પ્રત્યે સાવચેતીનો સૂર: LNG અને ખર્ચનું દબાણ બજાર માટે ચિંતાનો વિષય

મુંબઈ,3 એપ્રિલ 2026: ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભાવના હાલ સાવધ જોવા મળી રહી છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ BNP પરિબાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, રોકાણકારો ભારતીય કંપનીઓ પર વધી રહેલા ખર્ચના દબાણને ઓછું આંકી રહ્યા છે, જે ભવિષ્યમાં બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. BNP પરિબાસના વિશ્લેષણ અનુસાર, અનેક ફંડ્સ હાલમાં ભારતમાં તેમનું […]

ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી 1,200 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા  

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ઈરાનથી તેના નાગરિકોને મોટા પાયે બહાર કાઢવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઈરાનથી 1,200 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 845 વિદ્યાર્થીઓ છે. જયસ્વાલે જણાવ્યું […]

ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે ભારતમાંથી અત્યાર સુધીમાં 434 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ વિદેશી ઉપગ્રહોમાંથી 90 ટકાથી વધુ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં અવકાશ સંશોધનનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code