1. Home
  2. Tag "india"

બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી […]

દેશમાં સૌપ્રથમવાર રાત્રિના રાજા ઘુવડની વસ્તી ગણતરી થશે

કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે. રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી […]

બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં. તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ […]

ભારત-UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વેપાર 200 અબજ ડૉલરે પહોંચશે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]

ગાઝા પીસ બોર્ડમાં ભારત સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્યો હશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગાઝામાં શાંતિની સ્થાપના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝા પીસ બોર્ડની સ્થાપના કરી છે. આ બોર્ડનું મુખ્ય કામ વિકાસ અને શાંતિ જાળવવાનું રહેશે. ટ્રમ્પ આ બોર્ડના ચેરમેન હશે. બોર્ડમાં લગભગ 60 જેટલા સભ્યો સામેલ કરવામાં આવશે. બોર્ડમાં સામેલ થવા માટે ભારત સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ટ્રમ્પના આ […]

‘તમે 40 વર્ષથી આતંકવાદ પર મૌન રહ્યા છો,’ ભારતે કેનેડાને અરીસો બતાવ્યો

નવી દિલ્હી 14જાન્યુઆરી 2026: કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે ખાલિસ્તાની આતંકવાદીઓ સામે જોરદાર હુમલો કર્યો છે.  કેનેડાની સરકારની માલિકીની ચેનલ CBC ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, પટનાયકે કહ્યું કે કેનેડાએ છેલ્લા 40 વર્ષથી તેની ધરતી પર થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે ભારત વિરોધી ઉગ્રવાદને પ્રોત્સાહન મળ્યું છે. હરદીપ સિંહ […]

ભારત ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારત આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફ્રાન્સ પાસેથી આશરે 3.25 લાખ કરોડના 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આનું ઉત્પાદન ભારતમાં લગભગ 30 ટકા સ્વદેશી ઘટકો સાથે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ભારત ફ્રાન્સ સાથે આ કરાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code