1. Home
  2. Tag "india"

ઓસ્ટ્રેલિયન પીએમ આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવશે

દિલ્હી:ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બનીસે જાહેરાત કરી હતી કે,તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) ડીલ અંગે ચર્ચા કરવા આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાત લેશે.ઓસ્ટ્રેલિયન પ્રધાન આવતા વર્ષે બે વાર ભારતની મુલાકાત લેશે, પ્રથમ માર્ચમાં વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા અને પછી વર્ષના અંતમાં G20 સમિટ માટે. પીએમ અલ્બનીસે કહ્યું, ‘હું ભારતના વડાપ્રધાન મોદીને પણ […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. દરમિયાન આજે બંને દેશ વચ્ચે પ્રથમ ટી-20 મેચ વેલિંગ્ટનના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી જો કે, ભારે વરસાદને પગલે પ્રથમ મેચ ધોવાઈ હતી. હવે 20મી ડિસેમ્બરના રોજ માઉન્ટ માઉન્ગાનુઈમાં રમાશે. ભારે વરસાદના પગલે પ્રથમ ટી-20 મેચમાં ટોસ પણ થયો ન હતો. કટ ઓફ ટાઈમ પહેલા જ એમ્પાયર્સ […]

ભારત, ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને સાયબર હુમલા અને નેક્સ્ટ-જનરેશન ટેલિકોમ્યુનિકેશનની ક્ષમતા વિષે ચર્ચા કરી.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે સાયબર ક્ષેત્રે વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા કરી, જેમાં સાયબર હુમલાનું મૂલ્યાંકન, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન ક્ષમતા નિર્માણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારાઆ પાંચમો દ્વિપક્ષીય સાયબર નીતિ સંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંવાદની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત […]

ક્રિકેટઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ

મુંબઈ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ 18 નવેમ્બર (શુક્રવાર)ના રોજ વેલિંગ્ટનમાં રમાશે.કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખશે.આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે ઇશાન કિશન અને શુભમન ગિલ પ્રથમ […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

ભારતે ભવ્ય આદિવાસી વારસામાંથી શીખીને તેના ભવિષ્યને આકાર આપવો પડશે : PM

નવી દિલ્હીઃ રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. “જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ એ ઊર્જાનો એક ભાગ છે”,એમ તેમણે કહ્યું. પીએમ મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ […]

ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ભરશે ઉડાન,જાણો શું છે ખાસિયતો

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.3 પે-લોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર […]

ભારતે લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના UCFCCC ને સુપરત કરી

નવી દિલ્હીઃ ભારતે આજે 27મી કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી27) દરમિયાન યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ને તેની લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના સુપરત કરી હતી. લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ 6-18 નવેમ્બર, 2022 સુધી ઇજિપ્તના શર્મ-અલ-શેખ […]

ભારતીય જળસીમામાં માછીમારી કરતા 11 માછીમારો ઝડપાયાં

બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડે ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી મામલે શ્રીલંકાના 11 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે તેમની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમની ધરપકડ પછી, કોસ્ટ ગાર્ડ વધુ તપાસ માટે શ્રીલંકાના માછીમારોને કાકીનાડા લઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડે શ્રીલંકાના માછીમારો વિરુદ્ધ આ કાર્યવાહી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code