1. Home
  2. Tag "india"

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સમુદ્રયાને સફળતાપૂર્વક પસાર કર્યો ટેસ્ટ, જાણો ક્યારે લોન્ચ થશે?

નવી દિલ્હી: ચંદ્રયાન બાદ હવે ઈસરો પોતાની મહત્વકાંક્ષી સમુદ્રયાનની યોજનાની તૈયારીમાં લાગી ગયું છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર કેટલાક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ કહ્યુ છે કે સમુદ્રયાન મિશનને 2025ના આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ છે […]

યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું રશિયા, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને મોટી જાણકારી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, યુક્રેન પર રશિયા પરમાણુ હુમલો કરે તેવી શક્યતા હતી, જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી હતી. આ રિપોર્ટમાં 2 વરિષ્ઠ અધિકારીોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાને લઈને અમેરિકા તૈયારીઓમાં […]

માલદીવની ભારત વિરુદ્ધ નવી ચાલ, ચીન બાદ તુર્કીને બનાવ્યું દોસ્ત

માલે: ભારત સાથે તણાવ વચ્ચે માલદીવે ગણી-ગણીને મિત્રતાનું વર્તુળ વધારવાનું શરૂ કર્યું છે. ચીન સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર બાદ મુઈજ્જૂએ ઈસ્લામિક દેશ તુર્કી સાથે નવી ડીલ કરી છે. તુર્કી સાથેની નવી ડીલમાં મોહમ્મદ મુઈજ્જૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે માલદીવનું આ પગલું ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

ધર્મશાળા ટેસ્ટમાં ભારતનો 64 રન અને એક ઈનિંગ્સથી વિજ્ય, ઈંગ્લેન્ડ સામે 4-1થી સીરિઝ જીતી

નવી દિલ્હીઃ ધર્મશાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ મેચનું પરિણામ આવી ગયું છે. ભારતનો 64 અને અને ઈનિંગ્સથી વિજ્ય થયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ ઉપર જ રહેશે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય […]

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરાશે

નવી દિલ્હીઃ આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, 2025-26 સુધીમાં દેશભરમાં 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. યુનિયન આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું છે કે 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, તેમાંથી 401 એકલવ્ય મોડલ […]

ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનો પ્રારંભ, કોલકતામાં PM મોદીએ કર્યો શુભારંભ

કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ પરિવહન માટે […]

ભારતની સ્પેસ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી રહી છે: ડો. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.  તેમણે ઉમેર્યું હતું કે, “ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર આજે 8 અબજ ડોલરનું સાધારણ છે, પરંતુ અમારું પોતાનું અનુમાન એ છે કે 2040 સુધીમાં તે અનેકગણું વધી જશે. પરંતુ વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code