1. Home
  2. Tag "investigation"

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર

કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા […]

યુરોપિયન યુનિયનને ડિજીટલ નિયમોના સંભવિત ઉલ્લંઘન માટે TikTok સામે તપાસ શરૂ કરી

લાખો બાળકો અને કિશોરોની ઍક્સેસ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર નિયમોના ઉલ્લંઘન સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. યુરોપિયન યુનિયન (EU) એ કહ્યું કે તે સંસ્થાના નવા ડિજિટલ નિયમોના સંભવિત ઉલ્લંઘનને લઈને ચીની એપ્લિકેશન TikTokની તપાસ કરી રહી છે. યુરોપિયન કમિશને, EU ની એક્ઝિક્યુટિવ શાખાએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે અમલમાં આવેલા ડિજિટલ […]

ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં બાળલગ્નો અટકાવવા હવે ગામડાંમાં ચેકિંગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનાથી પૂર્ણિમાં બાદ લગ્નસરાંની સીઝન શરૂ થશે. લગ્નો માટે નાના-મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ. રસોઈયા, ગોર મહારાજ વગેરે બુક થઈ ગયા છે. જ્યારે ગામડાંઓમાં પણ લગ્નસરાની સીઝન ખીલી ઊઠશે. રાજ્યમાં ઘણાબધા સમાજોમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે. વર્ષોથી બાળ લગ્નોની પ્રથા ચાલી આવતી હોવાથી એમાં કોઈ ફેરફાર થતો નથી. આ […]

હેલ્થકાર્ડ ધરાવતા દર્દીઓના સારવાર માટે વધુ ચાર્જના બીલો બનાવતી હોસ્પિટલો સામે ઝૂંબેશ

અમદાવાદઃ  ગુજરાતમાં ‘મા અને પ્રધાનમંત્રી’  જનઆરોગ્ય યોજના હેઠળના કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપતી ખાનગી હોસ્પિટલો દર્દીઓના નામે ખોટા બિલો બનાવીને વસુલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવા બદલ ખાનગી હોસ્પિટલોને દંડ પણ કરવામાં આવ્યા […]

અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો […]

પેપર લીક કેસમાં તપાસ પહેલા કહેવાયું કે કોઈ સત્તાવાર નેતાની સંડોવણી નથીઃ સચિન પાયલટ

જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તેમની જન સંઘર્ષ પદ યાત્રાનું વર્ણન કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે કહ્યું છે કે, લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને આપણા બધાને તેમાંથી શક્તિ અને હિંમત મળી રહી છે. તેમણે કહ્યું કે, જન સંઘર્ષ યાત્રા શરૂ કરવામાં આવી છે અને તેનો હેતુ યુવાનોમાં વિશ્વાસ જાળવી રાખવાનો છે. તેમણે કહ્યું […]

જખૌ નજીક બેટ ઉપરથી શંકાસ્પદ માદવ દ્રવ્યોનું પેકેટ મળ્યું, BSFની ટીમે શરુ કરી તપાસ

અમદાવાદઃ કચ્છના સરહદી વિસ્તાર જખૌ નજીક એક ટાપુ ઉપરથી તાજેતરમાં ચરસના પેકેટ બિનવારસી મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ફરી એકવાર એક નિર્જન બેટ ઉપરથી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે અને બેટ ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું. આમ જખૌ નજીકથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યો મળી આવવાનો શિલશિલો […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની તપાસ સુરતની કથિત બ્લેકલિસ્ટ કંપનીઓને સોંપાતા વિવાદ

  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો  હાટકેશ્વર બ્રિજ  5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code