1. Home
  2. Tag "jammu"

જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ, 28 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મુના ફાલૈન મંડલ વિસ્તારમાંથી શનિવારે ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ લખેલો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે આ ફુગ્ગાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ફુગ્ગા પર અંગ્રેજી અને […]

ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે હવાઈ સેવાને અસર, ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ઓછી દૃશ્યતાનાં કારણે ચંદીગઢ, જમ્મુ અને ઉદયપુરમાં ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેના કારણે એરપોર્ટ […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા

જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]

અમરનાથ યાત્રા : જમ્મુથી બીજા દિવસે પણ સ્થગિત, ફક્ત બાલતાલની ગુફા તરફ જવાની છૂટ

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે જમ્મુથી ખીણ સુધીની અમરનાથ યાત્રા સ્થગિત રહી. યાત્રાળુઓને ફક્ત બાલતાલ બેઝ કેમ્પથી જ પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, જે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધ્યક્ષ પણ છે, તેમણે ગુરુવારે યાત્રાળુઓની સંખ્યા 4 લાખને વટાવી જતાં કહ્યું હતું કે, “બાબા અમરનાથ અશક્યને શક્ય […]

જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને ભારતીય સેનાએ નષ્ટ કર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને નષ્ટ કરી દીધા છે. અહીંથી ટ્યુબ લોન્ચ ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, ભારતીય સેનાએ બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આમાં ડ્રોનનો પણ સમાવેશ થાય છે જે રહેણાંક અને લશ્કરી […]

જમ્મુ, પઠાણકોટ અને જેસલમેર સહિત ઘણા શહેરો પર હુમલા નિષ્ફળ, ચાર પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી થાણાઓ અને ઓર્ડનન્સ ડેપો પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો. ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના થશે, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દિલ્હીથી કાશ્મીર સુધી સીધી ટ્રેન સેવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલ્વે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. PM Modi એ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ ક્ષેત્રની […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code