ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો. અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યુ હતું […]