1. Home
  2. Tag "junagadh"

જૂનાગઢના ચાંદ્રાવાડી ગામ નજીક કાર રોડ સાઈડના તળાવમાં ખાબકતા બેના મોત

5 મિત્રો કારમાં ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા, પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર ત્રણનો ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી […]

જુનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ લગાવીને રોફ મારતો યુવક પકડાયો

જુનાગઢમાં બે દિવસમાં 2 નકલી પોલીસ પકડાયા, કારમાં પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ગોંડલના યુવાનને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ખાનગી વાહનો સામે પોલીસે લાલા આંખ કરી  જુનાગઢ: ગુજરાતમાં ઘણાબધા ખાનગી વાહનચાલકો પોતાના વાહનો પર રાજકીય પક્ષોના સિમ્બોલ અને હોદ્દાઓ લખતા હોય છે. જ્યારે ઘણા વાહનચાલકો વાહનો પર પોલીસ બોર્ડ રાખતા હોય છે. સમાજમાં […]

જૂનાગઢના ગિરનારમાં રિલ બનાવવા 6 યુવાનોએ પગથિયા ચડવાને બદલે જોખમી ટ્રેકિંગ કર્યુ

ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી, વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો, થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો, જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ […]

જુનાગઢમાં એજન્ટનું કામ ન થતા RTO અધિકારી અને ગાર્ડ પર છરી કાઢી હુમલો કરાયો

વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં એજન્ટ ભાવિન કરથીયા ઉશ્કેરાયો, ઇન્ચાર્જ RTO સાથે બોલાચાલી બાદ હુમલો કરાયો, કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરાયું, જૂનાગઢઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબુત કરવામાં આવી છે. અરજદારોને ઓનલાઈન સેવા મળી રહે અથવા કેટલાક કામો માટે અરજદારોને રૂબરૂ આરટીઓ કચેરીએ આવવું પડે છે. જો કે આમ […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલાયા

વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો, વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ, અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે, જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 […]

જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવભારતી જંગલમાંથી મળ્યા

પોલીસ જવાનો, વન કર્મચારીઓ અને સેવકો સહિત 300 લોકો શોધખળમાં લાગ્યા હતા, 80 કલાક બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મહાદેવભારતી મળી આવ્યા, મહંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા, જૂનાગઢઃ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મહાદેવભારતી […]

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા, પવનની ગતિમાં ઘટાડો થયા રોપવે સેવા શરૂ કરવામાં આવશે, કેટલાક યાત્રાળુઓ પગથિયા ચડીને ટૂક પર પહોંચ્યા, જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે […]

જુનાગઢમાં ફટાકડા ફોડવાના મુદ્દે યુવાનની હત્યા કેસમાં મહિલા સહિત 5 આરોપીની ધરપકડ

પોલીસે PSIના પૂત્ર સહિત 5 આરોપીને ઝડપી લીધા, આરોપીઓને ઘટનાસ્થળે લાવીને પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યુ, ભોગ બનેલા પરિવારે આરોપીઓને ફાંસીની સજા આપવા કરી માગ જૂનાગઢઃ દિવાળીની મોડી રાતે શહેરના મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાનું મોત નિપજ્યુ હતુ. […]

જુનાગઢના ગિરનાર પર્વતની રોપવે સેવા 7મી ઓક્ટોબરથી ત્રણ દિવસ બંધ રહેશે

મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય, 10મી ઓક્ટોબરથી રોપવે સેવા પુનઃ શરૂ થશે, જૂનાગઢઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળ ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સલામતી માટે રોપ-વેના મરામતની જરૂર ઊભી થતા ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં […]

જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિરમાં પ્રતાપ દૂધાત ગેરહાજર રહેતા નારાજગી

અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેરહાજર રહેતા હાઈકમાન્ડે ગંભીર નોંધી લીધી, સંગઠનની નબળી કામગીરી માટે 9 જિલ્લા પ્રમુખોને અપાયુ 90 દિવસનું અલ્ટિમેટમ, સારી કામગીરી કરતા જિલ્લા પ્રમુખોને જાહેરમાં બિરદાવાયા જૂનાગઢઃ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર જુનાગઢમાં યજાઈ રહી છે. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રસના જિલ્લા અને શહેર પ્રમુખોને હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code