1. Home
  2. Tag "junagadh"

જૂનાગઢ મ્યુનિ.કોર્પો. શહેરના કચરામાંથી CNG બનાવી સીટી બસ ચલાવશે

જૂનાગઢઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનારી તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય […]

જૂનાગઢ સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડમાં વરુની વસતીમાં પાંચ વર્ષમાં થયો નોંધપાત્ર વધારો

અમદાવાદઃ સરકાર દ્વારા વિલુપ્તીને આરે પહોંચેલા વન્ય પ્રાણીઓને બચાવવા માટે સંવર્ધન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વરુની પ્રજાતિને બચાવવાનું બ્રીડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં અહીં વરુની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને આંકડો 39 ઉપર પહોંચ્યો છે. બ્રીડીંગ સેન્ટર અંગે માહિતી આપતા સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન […]

જૂનાગઢઃ અંતરિયાળ નેસ વિસ્તારમાં બાળકો માટે સાયન્સ લેબવાનનો પ્રારંભ

અમદાવાદઃ  જૂનાગઢ જિલ્લાના નેસ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રસ અને રૂચિ વધે તેવા આશયથી જિલ્લા શિક્ષણ સમિતિ ઘ્વારા સાયન્સ લેબવાન શરૂ કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતેથી આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને  જિલ્લા વિકાસ અઘિકારી મીરાંત પરીખે  ફલેગ ઓફથી પ્રસ્થાન કરાવ્યું હતુ. જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા મેદરડા,વિસાવદર અને ભેસાણ મા અંદાજે […]

જૂનાગઢઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૂા. ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે PSA ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓક્સિઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી […]

જુનાગઢના કેશોદ એરપોર્ટને પુનઃ શરૂ કરાશે તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

જૂનાગઢઃ  જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાતથી આ વિસ્તારના વિકાસની તક ઉજળી બની છે.  છેલ્લા બે દાયકાથી બંધ પડેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવ્યા બાદ  સોરઠના વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિશેષ લાભ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ વૈશ્વિક પ્રવાસન અને વેપારને પ્રાધાન્ય […]

જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટી પડતા સરકારને અઢી કરોડની આવક થઈ

જુનાગઢઃ જન્માષ્ટમીના તહેવારોમાં તમામ પર્યટન અને યાત્રાધામોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મલી હતી.જન્માષ્ટમીએ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ  જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર […]

15 ઓગસ્ટ 2021: સીએમ રૂપાણી અને રાજ્યપાલ જુનાગઢમાં રહેશે ઉપસ્થિત

ધ્વજ વંદન કાર્યક્રમનું કરાયું આયોજન શહેરને રંગબેરંગી રોશનીથી શણગારાયું ઉજવણીમાં સીએમ-રાજ્યપાલ રહેશે હાજર રાજકોટ : ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે.15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ […]

ગુજરાતના જૂનાગઢનો ઈતિહાસ, મુઘલ સલ્તનતથી લઈને અત્યાર સુધીની સફર

ગુજરાતના જૂનાગઢનો ઈતિહાસ 700 વર્ષ કરતા વધારે જુનું શહેર જાણો અત્યાર સુધીની સફર વિશે જૂનાગઢ એ ગુજરાતમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો માટે ફરવાલાયક સ્થળ છે. મોટી સંખ્યામાં લોકોને જૂનાગઢમાં ફરવા જવું અને રહેવું ગમે છે. પણ શું જૂનાગઢનો ઈતિહાસ તમને ખબર છે. જૂનાગઢ શહેર કે જે ગુજરાતની પૂર્વ ભાગમાં સ્થિત છે તે લગભર 700 […]

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]

સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન રાજકોટના ધોરાજીમાં ત્રણ ઈંચ, જુનાગઢના વિસાવદર, વંથલી, પોરબંદરના કુતિયાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જુનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી. ચાર કલાકમાં ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code