1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે
જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

0
Social Share

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, દાહોદમાં ગણપતસિંહ વસાવા, ભાવનગરમાં જયેશ રાદડિયા, ભરૂચમાં દિલીપકુમાર ઠાકોર, ગાંધીનગરમાં ઈશ્વર પરમાર, મહેસાણામાં કુંવરજી બાવળીયા અને જામનગરમાં જવાહર ચાડવાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

આ ઉપરાંત વડોદરામાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંદ જાડેજા, ખેડામાં બચુભાઈ ખાબડ, સુરેન્દ્રનગરમાં જયદ્રથસિંહ પરમાર, અમરેલીમાં ઈશ્વરસિંહ પટેલ, બનાસકાંઠામાં વાસણ આહિર, અમદાવાદમાં વિભાવરીબેન દવે, નવસારીમાં રમણલાલ પાટકર, છોટાઉદેપુરમાં કિશોર કાનાણી, આણંદમાં યોગેશ પટેલ અને મોરબીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આવી જ રીતે ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code