1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટક: યાદગીરની એક ફેક્ટરીમાં કેમિકલ લીક થવાને કારણે ગૂંગળામણથી ત્રણ કામદારોનાં મોત

યાદગીર, 05 ઓગસ્ટ 2026: કર્ણાટકની એક ફેક્ટરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં કેમિકલ લીક થવાને કારણે ગૂંગળામણથી ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. આ ઘટના કડેચુર-બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. મૃતક તેલંગાણા અને મધ્યપ્રદેશના વતની હતા. તેમની ઓળખ તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના કટલા ગણેશ અને મધ્યપ્રદેશના કટની જિલ્લાના વિક્રમ સિંહ ગોંડા અને સંજય સિંહ ગોંડા તરીકે […]

રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશભરમાં ચોમાસાની ગતિવિધિઓ ફરી એકવાર તેજ બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સમય માટે દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અનેક રાજ્યોમાં મેઘરાજાનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પૂર્વી રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાનું કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, […]

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં NH-52 પર ગમખ્વાર અકસ્માત, સાત લોકોનાં મોત

બેંગલુરુ, 09 જુલાઈ 2026: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વહેલી સવારે કાર અને લોરી વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં સાત લોકોનાં મોત થયાં છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત યલ્લાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા NH-52 પરના અરાબૈલ ઘાટ વિસ્તારમાં, બાલાગારા […]

કર્ણાટકના એક મંદિરમાંથી 51.20 લાખની ચાંદની મૂર્તિની ચોરી, 1.20 કરોડની કિંમતનો સામાન ગાયબ

બેંગલુરુ, 07 જુલાઈ 2026: Theft of a silver idol from a temple દેશમાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કર્ણાટકના શ્રી પાવડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ વજનની ચાંદીની વસ્તુઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આવેલા શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાંથી 32 કિલો વજનની ચાંદની મૂર્તિની ચોરી […]

કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા

નવી દિલ્હી, 5 જૂન 2026: કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે મલ્લિકાર્જુન ખડગે સહિત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આશ્ચર્યજનક રીતે આ યાદી જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર અને આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ સમર્થકોનો એક વર્ગ જ્યાં ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, ત્યાં જ […]

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન કર્ણાટક, ગોવા અને કેરળના ત્રણ દિવસના પ્રવાસે જશે

નવી દિલ્હી, 29 મે 2026: Vice President C.P. Radhakrishnan ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળના ત્રણ દિવસના પ્રવાસે રવાના થશે. તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45મા વર્ષગાંઠના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દાવણગેરેમાં યુનિવર્સિટી બીડીટી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાધાકૃષ્ણન પણજીમાં ગોવા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં […]

કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત

બેંગલુરુ, 28 મે 2026 – કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં પરિવર્તન થયું છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. તે સાથે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, સિદ્ધારમૈયાએ તેમની ભાવી ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી તેથી તેમના આગામી પગલા અંગે સસ્પેન્સ યથાવત્ છે. રાજીનામું આપ્યા બાદ સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદમાં […]

કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, સિદ્ધારમૈયા સીએમ પદ ઉપરથી રાજીનામુ આપશે

બેંગલોર, 28 મે 2026: કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકારમાં છેલ્લા કેટલાક સમયથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન આજે આ સસ્પેન્શનનો અંત આવી ચુક્યો છે. આજે બપોરના સમયે સુદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીમાનું આપે તેવી શકયતા છે. બપોરના સમયે તેઓ રાજ્યપાલની ઓફિસમાં જઈને રાજીનામુ આપશે. આ પહેલા આજે સવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ […]

કર્ણાટકના કાલાબુર્ગીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

નવી દિલ્હી, 23 મે 2026: Fearful road accident કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જ્યાં લાડજાપુર નજીક એક ફોર-વ્હીલ ડ્રાઇવ વાહન એક લોરી સાથે અથડાયું. ટક્કર એટલી ગંભીર હતી કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. અકસ્માતની માહિતી મળતાં, કાલાબુર્ગીના પોલીસ અધિક્ષક (એસપી) એ શ્રીનિવાસુલુએ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને આ મામલાની […]

એક દેશ, એક ચૂંટણી શા માટે દેશહિતમાં છે? જાણો JPCએ શું કહ્યું?

[અલકેશ પટેલ] ગાંધીનગર, 20 મે, 2026 – એક દેશ, એક ચૂંટણી માત્ર દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે દેશહિતમાં પણ છે તેમ શ્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવા માટે સર્વસંમતિ ઊભી કરવા રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અધ્યક્ષ શ્રી ચૌધરી ગિફ્ટ સિટી ખાતે પત્રકારોને સંબોધી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code