1. Home
  2. Tag "Kashmir"

સુરક્ષાદળોના માનવાધિકાર પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ, અરજીમાં પથ્થરબાજોનો ઉલ્લેખ

ડ્યૂટી દરમિયાન ભીડના હુમલાઓનો ભોગ બનનારા સુરક્ષાદળોના જવાનોના માનવાધિકારના સંરક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે 19 વર્ષીય પ્રીતિ કેદાર ગોખલે અને 20 વર્ષીય કાજલ મિશ્રાની અરજી પર કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ-કાશ્મીર […]

અનુચ્છેદ 35A પર સુનાવણી પહેલા હાઈએલર્ટ, કાશ્મીરમાં મોકલવામાં આવી સુરક્ષાદળોની 120 કંપનીઓ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ હલચલ વધી ગઈ છે. હલચલ શનિવારે ત્યારે વધી ગઈ હતી કે જ્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલિકની પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-એ પર સોમવારે સુનાવણી પહેલા પોલીસે સાવધાનીના પગલા હેઠળ યાસિન મલિકને કસ્ટડીમાં લીધો છે. યાસિન મલિકની અટકાયત બાદ તણાવને જોતા કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં […]

પાકિસ્તાની સેનાધ્યક્ષે લીધી સરહદી ક્ષેત્રની મુલાકાત, પાકિસ્તાની સૈનિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક આદેશ આપ્યા

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ બનેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ લાઈન ઓફ કંટ્રોલની શુક્રવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાતામાં જનરલ બાજવાએ ભારતને કોઈપણ આક્રમક કાર્યવાહીથી બચવાનું જણાવીને ક્હ્યુ છે કે કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પાકિસ્તાનના સૈનિકો દ્વારા યોગ્ય જવાબ મળશે. પાકિસ્તાની અખબારની વેબસાઈટ પર […]

પુલવામા એટેક: 44 જવાનોની શહીદીના 100 કલાકમાં કાશ્મીર ખાતેની જૈશ – એ – મોહમ્મદની લીડરશીપનો કરાયો સફાયો

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ માત્ર 100 કલાકની અંદર જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં વસવાટ કરનારા તમામ ટોચના આતંકીઓનો સફાયો કર્યો છે. આ વાત પુલવામા હુમલા મામલે સેના, પોલીસ અને સીઆરપીએફની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી છે. લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લને કહ્યુ છે કે ઘાયલોની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે હુમલાના 100 કલાકો […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]

પ્રજાસત્તાક દિને ભારતે શસ્ત્રવિરામ ભંગ કરનારા પાકિસ્તાનને LOC પર મિઠાઈ આપી નહીં

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક શનિવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેને કારણે ભારતીય સેનાએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં બંને દેશોની વચ્ચે મિઠાઈના આદાન-પ્રદાનની પરંપરાને નિભાવી નથી. એટલે કે શસ્ત્રવિરામ ભંગ કરીને બેફામ ગોળીબાર કરનારા પાકિસ્તાનને ભારતના પ્રજાસત્તાક દિને ભારતીય સેનાએ મિઠાઈ ખવડાવાનું માંડી વાળ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્ર મુજબ, પુંછ જિલ્લામાં […]

પ્રજાસત્તાક દિને પાકિસ્તાનની નાપાક હરકત, પુંછમાં શસ્ત્રવિરામ ભંગ

ભારતના પ્રજાસત્તાક દિન પર પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવ્યું નથી. શનિવારે સવારે પાકિસ્તાને એલઓસી પર પુંછ સેક્ટરમાં શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. જાણકારી મુજબ, પાકિસ્તાની સેનાએ સવારે અચાનક પુંછ સેક્ટરના મનકોટમાં ભીષણ ફાયરિંગ શરૂ કર્યું હતુ. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની હરકતનો આકરો જવાબ આપ્યો છે. બંને તરફથી ભારે ગોળીબાર થયો છે. જો કે છેલ્લા […]

લાન્સ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત અશોક ચક્ર, પત્નીએ ગ્રહણ કર્યું સમ્માન

લાંસ નાયક નઝીર અહમદ વાનીને મરણોપરાંત આપવામાં આવેલા અશોક ચક્ર સમ્માનને શનિવારે શહીદના પત્નીએ પ્રજાસત્તાક દિનના સમારંભમાં ગ્રહણ કર્યો હતો. વાનીએ જમ્મુ-કાશ્મીરમાં શહીદી વ્હોરતા પહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 70મા પ્રજાસત્તાક દિવસ પર વાનીના માતા સાથે તેમના પત્ની મહજબીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી અશોક ચક્ર પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. પુરસ્કાર ગ્રહણ કરતી વખતે […]

પ્રજાસત્તાક દિવસે કાશ્મીરમાં બે આતંકી હુમલા, ચાર આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિને સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાઓને નાકામ કરવામાં સફળતા મેળવી છે. પુલવામા અને શ્રીનગરમાં બે અલગ-અલગ અથડામણોમાં ચાર આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા છે. પુલવામામાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષાદળોએ પુલવામાના પમ્પોર ખાતેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. પુલવામામાં શનિવારે સવારે સીઆરપીએફ કેમ્પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code