1. Home
  2. Tag "kutch"

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં […]

રાખમાંથી બેઠા થાય એ ખમીરવંતા કચ્છી માડુ : CM ભૂપેન્દ્ર પટેલ

ભુજ,: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી  ના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે […]

કચ્છના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા માલધારીઓની પશુઓ સાથે હિજરત

ભૂજઃ જળ એ જ જીવન છે. કચ્છ જિલ્લો છેલ્લા દશકાથી નર્મદાના નીરથી પાણીદાર બન્યો છે. પરંતુ તંત્રની અણ આવડત કહો કે ગમે તે હજુ ઘણાબધા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. જેમાં સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી […]

કચ્છના જખૌ નજીક ટાપુ ઉપરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યાં

BSFના પેટ્રોલીંગમાં મળ્યા પેકેટ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ […]

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગઈકાલે નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, […]

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં  દરવર્ષે  ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે  ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે.જોકે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર નથી.આ પહેલા રવિવારે પણ બે આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 હતી.સોમવારે સવારે 10.49 કલાકે ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર કચ્છના લખપતથી 62 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. રવિવારે રાજકોટમાં બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો […]

કચ્છના સરહદી ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક હોવાથી અહીંથી અવાર-નવાર પાકિતાની ઘુસણકોરીની ઘટના સામે આવે છે. દરમિયાન ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની નાગરિકોને સુરક્ષા જવાનોએ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો પાકિસ્તાની માછીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર […]

કચ્છમાં ફરી એકવાર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, દુધઈ નજીક નોંધાયુ કેન્દ્રબિંદુ

અમદાવાદઃ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં લગભગ 11.41 કલાકે ધરા ધ્રુજી હતી. તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપ […]

કચ્છની મહેમાનગતિ માણીને વિદેશી મહેમાનો બન્યા ભાવવિભોર, કેમલ સફારીનો નજારો મહાણ્યો

ભૂજઃ ગુજરાતમાં છેલ્લા એક-દોઢ દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. હવે કચ્છના પ્રવાસન સ્થળોને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા માટે G-20 સમિટની બેઠકનું કચ્છના સફેદરણ તરીકે ઓળખતા પ્રવાસન સ્થળ ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા હતા. ધોરડોના સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code