સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 રેશનિંગની દુકાનોના લાયસન્સ રદ કરાયા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રેશનિંગના કેટલાક દુકાનદારો દ્વારા કરાતી ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 જેટલાં દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પુરવઠા વિભાગનો આઉટસોર્સથી કામ કરતો કારકૂન પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જે ગ્રાહકો અનાજ લેવા માટે આવતા નહતા તેમના નામે ઓટીપી પાડીને કૌભાંડ આચરવામાં આવતું હતું. આ મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પરંતુ જિલ્લાના […]