1. Home
  2. Tag "loc"

પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, 10 પાકિસ્તાની સૈનિકો ઠાર

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારથી પાકિસ્તાન તરફથી કરવામાં આવતા અકારણ ગોળીબારનો ભારતીય સેનાએ પણ આકરો જવાબ આપ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 10 સૈનિકોને ઠાર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી સોમવારે પુંછની આસપાસ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બીએસએફના એક અધિકારી શહીદ થયા હતા અને એક પાંચ વર્ષીય બાળકીનો […]

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત, બીએસએફના અધિકારી શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની લાઈન ઓફ કંટ્રોલ ખાતે ફોરવર્ડ પોસ્ટો અને ગામડાંઓને નિશાન બનાવીને સોમવારે પાકિસ્તાની સેના દ્વારા ત્રીજી વખત વગર કોઈ ઉશ્કેરણીએ શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક પાંચ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. બીએસએફના એક અધિકારી પણ સારવાર દરમિયાન શહીદ થયા છે. બીએસએફના પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા છે […]

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરની નિયંત્રણ રેખા પર ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શુક્રવારે અંકુશ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ગત એક સપ્તાહમાં 60થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ પુંછ, રાજૌરી અને બારામૂલા સહીત ઘણાં જિલ્લાઓમાં 70થી વધુ અસૈન્ય અને સીમાવર્તી વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે પાકિસ્તાન […]

ભારતના એક્શનથી ગભરાયું પાકિસ્તાન, પીઓકેમાં બંધ કર્યા ચાર આતંકી કેમ્પ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો યથાવત છે. ભારત સતત પાકિસ્તાનને જડબાતોડ  જવાબ આપી રહ્યું છે, તેના કારણે હવે ત્યાં રહેલા આતંકવાદી સંગઠનો પર ખોફ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા ચાર આતંકવાદી કેમ્પોને બંધ કરવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય સેના […]

ભારતની મોટી કાર્યવાહી: પાકિસ્તાનના બે સૈન્ય અધિકારીઓ સહીત 12 પાકિસ્તાની સૈનિકો ઠાર, છ ચોકીઓ તબાહ

તાજેતરમાં નિયંત્રણ રેખા પર થઈ રહેલા ભારે ગોળીબારનો જવાબ આપતા ભારતે શુક્રવારે પાકિસ્તાને આકરો પાઠ ભણાવ્યો છે. જમ્મુના અખનૂરના કેરી બટ્ટલ સેક્ટરમાં ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ સહીત 12 સૈનિકો ઠાર થયાના અહેવાલ છે. પાકિસ્તાનની છ ચોકીઓ તબાહ થઈ છે અને લગભગ 23 પાકિસ્તાની સૈનિકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ બાદ જાણકારી મુજબ, સીમા પારથી […]

જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાને પુંછ અને ચક્કન દા બાગ વિસ્તારોમાં કર્યું ફાયરિંગ

પાકિસ્તાને એલઓસી પર બુધવારે બે સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે ફાયરિંગ કર્યું હતું. તેના સિવાય નિયંત્રણ રેખા નજીકના ચક્કન દા બાગ વિસ્તારમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. એલઓસી ટ્રેડ સેન્ટર આ સ્થાન પર આવેલું છે. પાકિસ્તાનના ગોળીબારો ભારત દ્વારા પણ જવાબ અપાઈ […]

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]

સરહદે અજંપા ભરેલી શાંતિ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની જમ્મુ મુલાકાત રદ્દ

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા ગત 20 કલાકમાં સંઘર્ષવિરામ ભંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે તેમ છતાં પણ સરહદે શાંતિ બેચેની ભરેલી છે. અધિકારીઓ દ્વારા ગુરુવારે આના સંદર્ભે માહિતી આપવામાં આવી છે. તેની સાથે જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જમ્મુના પોતાના નિર્ધારીત પ્રવાસને રદ્દ કર્યો છે. તેઓ સામ્બા […]

જમ્મુ-કાશ્મીર: LoC પર રહેણાંકને નિશાન બનાવીને પાકિસ્તાનનું બેફામ ફાયરિંગ, નવ માસની બાળકી સહીત ત્રણના મોત

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ પ્રવર્તી રહ્યો છે. તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ફાયરિંગના કારણે ભારતના એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. […]

શાંતિને એક મોકો આપવાની ઈમરાનની કાકલૂદી વચ્ચે પાકિસ્તાને 24 કલાકમાં ત્રણ વખત કર્યો શસ્ત્રવિરામનો ભંગ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મદીને શાંતિ લાવવાનો એક મોકો આપવાની વાત કહી છે અને તેમણે ભરોસો આપ્યો છે કે તેઓ પોતાના વાયદા પર અટલ રહેશે. ઈમરાન ખાને ભરોસો અપાવ્યો છે કે જો ભારત પુલવામા એટેક પર પાકિસ્તાનને કાર્યવાહી યોગ્ય ગુપ્તચર જાણકારી ઉપલબ્ધ કરાવે છે, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code