1. Home
  2. ગુજરાતી
  3. ભારતના એક્શનથી ગભરાયું પાકિસ્તાન, પીઓકેમાં બંધ કર્યા ચાર આતંકી કેમ્પ
ભારતના એક્શનથી ગભરાયું પાકિસ્તાન, પીઓકેમાં બંધ કર્યા ચાર આતંકી કેમ્પ

ભારતના એક્શનથી ગભરાયું પાકિસ્તાન, પીઓકેમાં બંધ કર્યા ચાર આતંકી કેમ્પ

0
Social Share

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો યથાવત છે. ભારત સતત પાકિસ્તાનને જડબાતોડ  જવાબ આપી રહ્યું છે, તેના કારણે હવે ત્યાં રહેલા આતંકવાદી સંગઠનો પર ખોફ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા ચાર આતંકવાદી કેમ્પોને બંધ કરવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય સેના સતત તેમને નિશાન બનાવી રહી છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સનું માનીએ, તો 16 માર્ચે પીઓકેમાં એક બેઠક થઈ હતી. નિકિયાલ ખાતે થયેલી બેઠકમાં પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને લશ્કરે તૈયબાના આતંકવાદી અશફાક બડવાલ પણ સામેલ હતો. આ વિસ્તાર રાજૌરીની આસપાસનો છે.

આ બેઠકમાં જ એ નક્કી કરવામાં આવ્યું છે કે અહીં રહેલા તમામ આતંકી સંગઠનોને બંધ કરવામાં આવે, કારણ કે ભારત તરફથી સતત યુદ્ધવિરામ ભંગના જવાબમાં વળતો ભારે ગોળીબાર કરીને આપવામાં આવે છે. તેના કારણે આ આતંકી કેમ્પો પણ નિશાના પર આવે તેવી શક્યતા હતી.

પાકિસ્તાને જે આતંકી કેમ્પોને બંધ કર્યા છે, તે કોટલી અને નિકિયાલ સેક્ટરમાં આવેલા છે. આ કેમ્પો સુંદરબની અને રાજૌરીની પાસે છે. ચારેય આતંકી કેમ્પોનું સંચાલન આતંકી અશફાક બડવાલ જ કરતો હતો. તેને આઈએસઆઈએ કેમ્પ બંધ કરવા મામલે સીધો સંદેશો આપ્યો હતો.

જ્યારે બે કેમ્પો પાલા અને બાઘા ક્ષેત્રમાં છે, તેને જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામા એટેક બાદથી યુદ્ધવિરામ ભંગના મામલામાં વધારો થયો છે. માત્ર 2019માં 634 વખત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ બની છે. જ્યારે ગત વર્ષે 1629 વખત શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓ બની હતી. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદની ભૂમિકા હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code