1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે વાયનાડ બેઠકનું શું છે જાતિગત સમિકરણ ?

19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં આજે કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે […]

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

દેશની 88 બેઠકો પર આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, કેરળની તમામ 20 બેઠકો પર યોજાશે વોટિંગ

88 બેઠકો પર આવતીકાલે મતદાન લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું. હવે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર પડઘમ બુધવારે સાંજે શાંત પડી ગયો આવતીકાલે એટલે કે 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે.. જેમાં કેરળની તમામ […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

નાગાલેંડના 6 જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ ન કર્યુ મતદાન, અલગ રાજ્યની કરી છે માંગ

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. આ માંગ […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code