1. Home
  2. Tag "MAHARASHTRA"

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં 3 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રૂ. 18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં કસારા – મનમાડ ત્રીજી અને ચોથી લાઇન, દિલ્હી – અંબાલા ત્રીજી અને ચોથી લાઇન અને બલ્લારી – હોસપેટ ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ […]

સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર શરદ પવારનું મોટું નિવેદન

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. પવાર આજે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. દરમિયાન, શરદ પવારે સુનેત્રા પવારના શપથ ગ્રહણ […]

અજિત પવારે સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રના સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કર્યા: અમિત શાહ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ દર્શાવ્યું છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. ‘X’ પર એક પોસ્ટમાં અમિત શાહે […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનુભાવોએ કર્યું મતદાન

મુંબઈ, 15 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજકીય આગેવાનો, ફિલ્મ કલાકારો અને સચિન તેડુંલકર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. બે કલાકના સમયગાળામાં સાત ટકા જેટલુ મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. […]

મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરાયું

મુંબઈ, 12 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના અહિલ્યા નગરમાં કેકે રેન્જમાં ફરતા લક્ષ્ય સામે DRDOની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, હૈદરાબાદ દ્વારા ત્રીજી પેઢીના ફાયર એન્ડ ફોરગેટ મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM)નું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી રીતે વિકસિત MPATGMમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ (IIR) હોમિંગ સીકર, ઓલ ઇલેક્ટ્રિક કંટ્રોલ એક્ટ્યુએશન સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, ટેન્ડમ વોરહેડ, […]

મહારાષ્ટ્રમાં છ-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ કોરિડોરનું નિર્માણ કરાશે

નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મહારાષ્ટ્રમાં નાસિક-સોલાપુર-અકલકોટ વચ્ચે 374 કિલોમીટર લાંબા, છ-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ BOT (ટોલ) મોડેલ પર બનાવવામાં આવશે અને કુલ રૂ.19,142 કરોડનો ખર્ચ થશે. આ નવો કોરિડોર નાસિક, અહિલ્યાનગર અને સોલાપુર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોને જોડશે અને કુર્નૂલને […]

સુપર કોપ IPS સદાનંદ દાતેની મહારાષ્ટ્રમાં વાપસી: નવા DGP બનવાની પ્રબળ શક્યતા

મુંબઈઃ મુંબઈ પર થયેલા 26/11ના આતંકી હુમલામાં અજમલ કસાબ જેવા આતંકીઓ સામે સીધી ટક્કર લેનાર 1990 બેચના વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની મહારાષ્ટ્રમાં ઘરવાપસી થઈ રહી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) એ સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ચીફ સદાનંદ દાતેને તાત્કાલિક તેમના મૂળ કેડર મહારાષ્ટ્રમાં પરત મોકલવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code