મણિપુર, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: મણિપુરના અનેક ભાગોમાં સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરના કામજોંગ જિલ્લામાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 5:59 વાગ્યે આવ્યો હતો. કામજોંગ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. […]


