1. Home
  2. Tag "Narendra Modi"

અમેરિકી દૂતાવાસે નરેન્દ્ર મોદીને ગણાવ્યા પરિણામ આપનારા લીડર

નવી દિલ્હી, 27 માર્ચ 2026: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રી મોદીને “કામ પૂરું કરનારા લીડર” ગણાવ્યા હતા. ડોનાલ્ડના આ નિવેદનને ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસે શુક્રવારે(27 માર્ચ) દોહરાવ્યું હતું. આ સાથે દૂતાવાસે જણાવ્યું કે, આગામી વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકી […]

ભારતનો AI પ્રત્યેનો અભિગમ માનવ-કેન્દ્રિત અને સમાવેશી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના AI પ્રત્યેના અભિગમ પર લખાયેલ એક લેખ શેર કર્યો. આ લેખ AI-સંચાલિત ટેકનોલોજીકલ યુગમાં ભારતની પ્રગતિ અને નવીનતાના માર્ગની રૂપરેખા આપે છે. ભારતની AI વિચારસરણી વૈશ્વિક ભાગીદારી સાથે જોડાયેલી છે.લેખમાં જણાવાયું છે કે કૃત્રિમ બુદ્ધિ પ્રત્યેનો ભારતનો અભિગમ […]

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]

ઇન્સ્ટાગ્રામ પર પણ પીએમ મોદીનો દબદબો: 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર દુનિયાના પ્રથમ નેતા બન્યા

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન (10 કરોડ) ફોલોઅર્સનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ તેઓ આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઐતિહાસિક મુકામ હાંસલ કરનાર દુનિયાના પ્રથમ અને એકમાત્ર નેતા બની ગયા છે. વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા બાદ, છેલ્લા એક […]

ભારત-ઇઝરાયેલના અતૂટ સંબંધો વિશ્વાસ અને સંશોધન પર આધારિત: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ […]

ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ફિનલેન્ડના પ્રધાનમંત્રી  પેટેરી ઓર્પોએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે આર્થિક જોડાણોને મજબૂત બનાવશે. બંને નેતાઓએ 6G, નવીનતા, સ્વચ્છ ઊર્જા, બાયોફ્યુઅલ અને સર્ક્યુલર ઇકોનોમી જેવી ભવિષ્યવાદી તકનીકોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. Held extensive discussions with the Prime […]

PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ […]

પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ […]

નરેન્દ્ર મોદીએ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન વાત કરી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: PM નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર ખાસ વાતચીત કરી હતી. આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના દાયકાઓ જૂના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean […]

પરીક્ષા પે ચર્ચા: નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓની ઉર્જા અને જિજ્ઞાસાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા એપિસોડની શરૂઆતમાં  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વખતે કાર્યક્રમ કંઈક અલગ અને ખાસ છે. ઘણા વિદ્યાર્થીઓએ મને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code