લખતરના વિઠ્ઠલગઢ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલના નબળા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકશાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.ખેડૂતોને ખેતર સુધી પાણી […]