1. Home
  2. Tag "narmada"

રાજકોટ :આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી

નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે:પ્રદીપ ડવ  રાજકોટ:ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે.પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.ન્યારી ડેમમાં દરવાજા રીપેરીંગની કામગીરી પૂર્ણ […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

નર્મદાઃ કેવડિયા જંગલ સફારીની બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. અહીં 2 વર્ષ પહેલાં કેવડિયા જંગલ સફારીની પણ શરુઆત કરવામાં આવી હતી. આ જંગલ સફારીને પણ પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]

ગુજરાતમાં વીજળીની ખેંચને પહોંચી વળવા નર્મદા રિવરબેડના બે ટર્બાઈન શરૂ કરાયા

વડોદરાઃ કોલસાની અછતને લીધે દેશભરમાં વીજળીની કટોકટી સર્જાય છે. ગુજરાતમાં પણ વીજળીની ખેંચને લીધે રવિ સિઝનની વાવણી ટાણે જ ખેડુતોને વીજ કાપ સહન કરવાનો વારો આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા નર્મદા રિવરબેડ કાર્યરત કરીને વીજ પુરવઠો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નર્મદા બંધના રિવરબેડ પાવરહાઉસ ના 1200 મેગાવોટ ના બે ટર્બાઇનો ચાલુ કર્યા […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]

કેવી રીતે બન્યો ગુજરાતનો નર્મદા જિલ્લો, વાંચો તેનો ઈતિહાસ

વર્ષ 1997માં ગુજરાતમાં નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી, જે સમયે અન્ય 5 જિલ્લાની પણ રચના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનાં નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વડોદરા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનો સમાવેશ નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યો. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ […]

રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. […]

નર્મદા નદીમાં ભરૂચથી સમુદ્રકાંઠાના જોગેશ્વર ગામ સુધી પાણીના કરેલા પરિક્ષણમાં ખારો પાટ 65 કિ.મી ઘટ્યો

વડોદરાઃ સરદાર સરોવરમાંથી સમયાંતરે નદીમાં પાણી છોડાતું હોવાથી નર્મદાના ખારા પાટમાં 65 કિમિ.નો ઘટાડો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું પ્રમાણ મળ્યુ છે. એટલે કે […]

નર્મદાના પીવા માટેના અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 10 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં નર્મદાના અપાતા પાણીના દરમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લીટરે 4.18 રૂપિયા જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચૂકવવાના થાય છે,  જે ગયા વર્ષે 1000 લીટરના અનુક્રમે 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરવામાં આવ્યા હતા. બન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code