1. Home
  2. Tag "ncp"

ગુજરાત વિધાનસભાઃ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા છે.NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ અંગે […]

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

2024માં લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર વિપક્ષના PM પદનો ચહેરો નહીં હોયઃ NCP

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી વિપક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર […]

શરદ પવારની ફરી રાષ્ટ્રીય કોંર્ગેસ પાર્ટીના અધ્યક્ષ ચૂંટાયા – 4 વર્ષ સંભાળશે આ જવાબદારી

શરદ પવાર બન્યા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ આગામી 4 વર્ષ સુધી જવાબદારી સંભાળશે મુંબઈ: વરિષ્ઠ નેતા શરદ પવાર ફરી એકવાર સત્તામાં જવાબદારી સંભાળવા આવી ગયા છે વિતેલા દિવસને શનિવારે ચાર વર્ષ માટે નેશનલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ફરીથી તેઓ ચૂંટાયાઈ આવ્યા હતા.  આ મામલાની જાણકારી આપતાNCPના મુખ્ય પ્રવક્તા મહેશ ભરત તાપસીએ કહ્યું કે શરદ પવારને […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ગુજરાતમાં ક્રોસ વોટિંગ, એનસીપીના ધારાસભ્યએ દ્રૌપદી મૂર્મૂ તરફી કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સવારથી જ વિધાનસભા સંકુલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. દરમિયાન ક્રોસ વોટિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ દ્વારા દ્રૌપદી મૂર્મૂને મદાનમાં ઉતારવામાં આવ્યાં હતા. જ્યારે વિપક્ષએ […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

મહારાષ્ટ્રઃ પોતાની સરકાર નહીં બચાવી શકનારા શરદ પવારની શિંદે સરકાર અંગે ભવિષ્યવાણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકારનું પતન થયા બાદ શિંદેજૂથ અને ભાજપે સાથે મળીને નવી સરકાર બનાવી છે. શિદેએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે અને ભાજપ ફરી એકવાર સત્તામાં આવી ચુકી છે. દરમિયાન પોતાની સરકાર બનાવી નહીં શકરનારા શરદ પવારે નવી સરકારને લઈને ભવિષ્યવાણી કરી છે. પવારે કહ્યું હતું કે, શિંદે […]

શિવસેનાને અમે નહીં પરંતુ NCPએ હાઈજેક કરીઃ એકનાથ શિંદે જૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે. દરમિયાન નારાજ એકનાથ શિંદે સહિતના શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથે શિવસેનાને અમે નહીં પરંતુ એનસીપીએ હાઈજેક કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળે છે. શિવસેનાના નારાજ ધારાસભ્ય જૂથના કેસરકરએ જણાવ્યું હતું કે, અમે શિવસેના છીએ અને રહીશે, અમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. અમારી પાસે […]

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું […]

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code