1. Home
  2. Tag "nda"

બાંગ્લાદેશ સાથે ફરક્કા જળસંધિને રિન્યુ નહીં કરવા સરકાર સમક્ષ માંગણી, બિહારના હિતોને અસર થતી હોવાનો દાવો

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 1996માં થયેલી ફરક્કા જળસંધિ આગામી 12 ડિસેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે બિહારમાં એનડીએના સહયોગી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ સંધિને રિન્યુ […]

NDAની ‘મંગલ મિલન’ બેઠક: પહેલીવાર, TMCથી અલગ થયેલા NCP સાંસદો જોડાયા

નવી દિલ્હી, 28 જુલાઈ 2026: ‘Mangal Milan’ meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં મંગળવારે સંસદ ભવન સંકુલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક મહત્વપૂર્ણ હતી કારણ કે સંસદ ‘જાહેર પરીક્ષાઓ (અયોગ્ય પદ્ધતિઓ નિવારણ) સુધારા ખરડા, 2026’ પર ચર્ચા કરવાની તૈયારી કરી રહી છે, જેને કેન્દ્રીય રાજ્ય […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી […]

છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

નવી દિલ્હી/કોલકાતા, 8 જૂન 2026: છેવટે દિલ્હીમાં પણ મમતા બેનરજીનો ભારે આંચકો લાગ્યો છે. તેમના પક્ષ TMCના 20 સાંસદોએ અલગ થઈને સત્તાધારી એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તેના જ સાંસદોએ પણ મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ, લોકસભાના 20 સાંસદોએ સ્પીકરને એક પત્ર […]

કે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

ચેન્નઈ, 4 મે, 2026 – તમિળનાડુનાં પરિણામ અંગે કે. અન્નામલાઈએ વિશિષ્ટ રીતે પ્રતિભાવ આપ્યો છે. દક્ષિણના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈએ તેમની X પોસ્ટ દ્વારા ખૂબ સમજદારીભર્યું અને સંતુલિત વિશ્લેષણ કર્યું છે. તમિલનાડુમાં ભાજપના આ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, રાજ્યમાં જે પરિવર્તન થયું છે તે સૌથી આવકારદાયક બાબત છે. કે. અન્નામલાઈની […]

પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છેઃ મલ્લિકાર્જુન ખડગે, જુઓ Video

ચેન્નઈ, 21 એપ્રિલ, 2026 – પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છે એવું જાહેરમાં, ઑન કેમેરા નિવેદન કરીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બરાબરના ફસાયા છે. તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે સમાપ્ત થયો છે. આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સાથે થઈ રહ્યો છે. તમામ […]

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને […]

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Congress’s motion against Lok Sabha Speaker સંસદનું બજેટ સત્ર તેના બીજા તબક્કામાં પણ સતત તોફાની બની રહ્યું છે. બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચા દરમિયાન જબરદસ્ત હોબાળો જારી છે. વિપક્ષે ફેબ્રુઆરી 2026માં જ આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે સ્થાનિક બજારોને સ્થિર કરવા અને ઉત્પાદકોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક અને ખેડૂત-કેન્દ્રીય પગલું ભરીને 25 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની સાથે વધારાના 5 LMT ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. વર્તમાન ઉપલબ્ધતા અને કિંમતના પરિદ્રશ્યના વ્યાપક મૂલ્યાંકન પછી આ માપાંકિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code