1. Home
  2. Tag "News Article"

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]

આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુઓના મોત

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા મંદિરમાં ભાગદોડમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. આજે એકાદશીના દિવસે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત […]

પ્રધાનમંત્રી મોદીએ બ્રહ્માકુમારીઓને વૈશ્વિક શાંતિ શિલ્પી તરીકે બિરદાવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે (1 નવેમ્બર) નવા રાયપુરમાં બ્રહ્માકુમારીઓના ભવ્ય “શાંતિ શિખર એકેડેમી ફોર પીસફુલ વર્લ્ડ” – એક આધ્યાત્મિક સશક્તિકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, અને આ સંગઠનને ભારતના પ્રાચીન શાણપણ અને વિશ્વની સંવાદિતાની શોધ વચ્ચે જીવંત સેતુ તરીકે પ્રશંસા કરી હતી. એકેડેમીમાં હજારો સફેદ વસ્ત્રો પહેરેલી બહેનો અને વૈશ્વિક પ્રતિનિધિઓને સંબોધતા, પ્રધાનમંત્રીએ ચળવળ સાથેના […]

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- “પીએમ મોદીએ કલમ 370 રદ કરીને સરદાર પટેલનું અધૂરું કામ પૂર્ણ કર્યું”

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના એકીકૃત ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની 150 મી જન્મજયંતિ પર અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતા શાહે કહ્યું કે આઝાદી પછી, અંગ્રેજોએ […]

અમેરિકામાં ભારતીય મૂળના CEO પર 4,200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

નવી દિલ્હી: અમેરિકન રોકાણ કંપની બ્લેકરોકને 500 મિલિયન ડોલર (4,200 કરોડ) થી વધુની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું હોવાના અહેવાલ છે. કંપનીએ તેના ભારતીય મૂળના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર આ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપનીએ નકલી એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. જોકે, બ્રહ્મભટ્ટના વકીલે આ આરોપોને સખત રીતે નકારી […]

કેરળમાં OBC આરક્ષણ ઉપર તરાપ, અમુક હિસ્સો મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ફાળવવામાં આવ્યો

નવીદિલ્હી: કેરળ રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC) માટેના આરક્ષણના હક્કોને લઈને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખુલાસો થયો કે ઓબીસી આરક્ષણનો એક હિસ્સો ધર્મના આધાર પર આપવામાં આવી રહ્યો છે. તેમાં 10 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાયને અને 6 ટકા હિસ્સો ખ્રિસ્તી સમુદાયને ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ […]

ઓપરેશન ‘સિંદૂર’ માટે ભારતીય નૌસેના સંપૂર્ણ તૈયાર: વાઈસ એડમિરલ સંજય વાત્સાયન

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલ સંજય વાત્સાયને જણાવ્યું છે કે, દેશની નૌસેના “ઓપરેશન સિંદૂર” માટે સંપૂર્ણ રીતે તૈયાર અને તહેનાત છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ભારતની વ્યૂહરચના અને યોજનાઓમાં કોઈ વિક્ષેપ નથી. ઓપરેશન સિંદૂર માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. અન્ય યોજનાઓ, તાલીમ અભ્યાસો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ યથાવત રહેશે.” વાત્સાયને […]

કમોસમી વરસાદને પગલે APMCમાં શાકભાજીની આવક 60 ટકા ઘટી, ભાવવધારાનો સંકેત

અમદાવાદ:  રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ માવઠાએ ખેડૂતોની સાથે બજાર તંત્રને પણ હચમાચાવી નાખ્યું છે. છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે મુખ્ય APMC બજારોમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની અસર હવે ગૃહીણીઓના બજેટ ઉપર પણ […]

અમદાવાદના બોડકદેવમાં વેપારીના બંગ્લામાં ત્રાટક્યા લૂંટારૂઓ, ચાકુની અણીએ ચલાવી 23 લાખની મતાની લૂંટ

અમદાવાદ: શહેરના પોશ મનાતા બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ લૂંટારાઓએ વેપારીના ઘરમાં ઘુસ્યા હતા અને તિક્ષણ હથિયાર બતાવીને વેપારી અને તેમના પત્નીને બંધક બનાવ્યાં હતા. જે બાદ ઘરમાંથી સોના-હીરાના દાગીના, ઘડિયાળ અને રોકડ મળી કુલ 22.91 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી […]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,  5 નવેમ્બરથી રાહતની આશા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે., જ્યારે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલની હવામાન પરિસ્થિતિ મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code