1. Home
  2. Tag "News Article"

ગિરનારની લીલી પરિક્રમા આખરે સ્થગિત કરાઈ, માવઠાથી પરિક્રમાના માર્ગો ધોવાઈ ગયા

કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર ઠેર-ઠેર કાદવ-કીચડ થયો છે, માત્ર સાધુ-સંતો પ્રતિકાત્મક યાત્રા કરી શકશે, વહીવટી તંત્ર અને સાધુ સંતોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય  જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. કારતક સુદ અગિયારસને 2જી નવેમ્બરને રવિવારથી શરૂ થનારી લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે. વરસાદને લીધે પરિક્રમાનો 36 કીમીનો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો […]

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની તેલંગાણા સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. તેલંગાણા રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને શપથ […]

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, માવઠાને લીધે મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન, અગરિયાઓને નુકસાનીનું વળતર આપવાની માંગ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારામાં હાલ અગરિયાઓ દ્વારા મીઠુ પકવવાની સીઝન ચાલી રહી છે, દિવાળી બાદ અગરિયાઓ મીઠુ પકવવા માટે […]

માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો, સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલનો પાનમ ડેમની સપાટી પણ રૂલ લેવલ પર પહોંચી, પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ, ખેડૂતોને હવે ઉનાળાના અંત સુધી સિચાઈ માટેનું પાણી મળી શકશે અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં 3450 ક્યુસેક […]

અમદાવાદના ચાંદલોડિયા સહિત વિસ્તારોમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી, વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી, પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા […]

અમદાવાદના ઓઢવના સ્મશાન ગૃહમાં લાકડાં ન મળતા ટાયર મુકી અગ્નિસંસ્કાર કરાયા

અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડાં ન હોવાથી ના પાડવામાં આવી, એએમસીના હેલ્થ વિભાગે લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી, લાકડા પુરી પાડતી ખાનગી એજન્સી સામે કડક પગલાં લેવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ  શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડા ન હોવાથી એક પરિવારને તેના મૃતક સ્વજનની વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ […]

ભાવનગરના ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી બસની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

બસે ટક્કર માર્યા બાદ રોડ પર પટકાયેલા બે બાઈકસવારોને હોસ્પિટલ ખસેડાયા હતા, સારવાર દરમિયાન બન્ને યુવાનોના મોત નિપજ્યા, ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકસવાર યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેમના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલનું મોત નિપજ્યુ હતુ. […]

પોરબંદર-ધોરાજી હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતા બાઈક ચાલકોની પોલીસે કરી ધરપકડ

સ્ટંટબાજ બે બાઈકસવારોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પોલીસે પણ બન્ને યુવાનોને માફી માગતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, હાઈવે પર બાઈકચાલકોના સ્ટંટથી અન્ય વાહનચાલકો પણ ડરી ગયા હતા, રાજકોટઃ આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનું વલગણ એટલું બધુ છે કે, ફેમસ થવા અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી. અને કાર […]

અમદાવાદમાં સરદાર પટેલની જન્મજ્યંતિ પર મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યુ

‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીમાં શહેરીજનો જોડાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી, રાજકોટમાં કૂવરજી બાવળિયાએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યુ અમદાવાદઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઊજવણીના ભાગરૂપે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરોમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code