1. Home
  2. Tag "News Article"

ગુજરાતમાં 67 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કચ્છના લખપતમાં 6 ઇંચ વરસાદ

ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, બનાસકાંઠા, ભાભરમાં 5.28, કચ્છના રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 […]

નેપાળમાં વિરોધ વચ્ચે પીએમ ઓલીએ કહ્યું કે, કાયદાનો અનાદર સ્વીકારી ના શકાય

નવી દિલ્હીઃ નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ સોમવારે હજારો જનરેશન જી (18 થી 30 વર્ષ) યુવાનો રાજધાની કાઠમંડુની શેરીઓમાં ઉતર્યા હતા. પ્રતિબંધના વિરોધમાં, યુવાનોએ નવા બાનેશ્વર સ્થિત સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. વિરોધીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડવાનો અને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પાણીના […]

જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો

રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]

આ 8 આદતો તરત જ છોડી દો નહીંતર પાચનતંત્રને થશે નુકસાન

અનિયમિત ખાવાથી પાચનતંત્ર નબળું પડે છે અને પાચનતંત્ર કે ગેસ જેવી સમસ્યાઓ થાય છે. સમયસર ન ખાવાથી પેટમાં ભારેપણું અને અસ્વસ્થતા થઈ શકે છે જંક ફૂડ, તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચન ધીમું થાય છે અને પેટનું ફૂલવું કે કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી લાંબા ગાળે પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. […]

‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે

‘શરદપૂનમ‘ની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ‘ગરબા મહોત્સવ‘ યોજાશે, ઉદયપુરના મહોત્સવમાં રાજસ્થાનના નાયબ CM તથા કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે, નવરાત્રી ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે ગાંધીનગરઃ   યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત […]

ગુજરાત FSL હવે IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે અન્ય રાજ્યોને પણ સેવા આપે છેઃ સંઘવી

ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસથી હીટ એન્ડ રન કેસમાં વાહનની સ્પીડ જાણી શકાય, ટેકનોલોજીની મદદથી ગુન્હા સંબંધીત વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી શકાય છે, IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ ગાંધીનગરઃ  રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ […]

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 15 વર્ષમાં રૂ. 57 હજાર કરોડની જોગવાઇ કરાઇ

જુનાગઢ મ્યુનિને પાણી પુરવઠા યોજનાના માટે કુલ રૂ. 70.89 કરોડની ફાળવણી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009થી 2024 સુધીમાં કરોડો ફાળવાયા, છેલ્લા બે વર્ષમાં આ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ 9 કામો હાથ ધરાયા ગાંધીનગરઃ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત થયેલ વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું […]

કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ, શાળા-કોલેજો બંધ રહી

વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન બન્યા, રાપરમાં 24 કલાક દરમિયાન 12.48 ઈંચ અને આજે વધુ 5 ઈંચ વરસાદ પડ્યો, જિલ્લામાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ કરાયા ભૂજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 15 ઈંચ વરસાદ પડ્યો છે.ગઈકાલથી આજે સવાર સુધીમાં રાપરમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે […]

સાબરમતી નદીના પૂરના પાણી ધોળકા અને ખેડા તાલુકામાં ફરી વળ્યા

ધોળકા-સરખેજ અને ખેડાથી ધોળકા જતા રોડ પર પાણી ફરી વળ્યા, બન્ને રોડ પર વાહન વ્યવહાર બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા, ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સહિત ગામોમાં પાણી ઘૂસી ગયા અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. તેના લીધે ધોળકા અને ખેડાના કાંઠા […]

ગુજરાત વિધાનસભામાં સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા દેખાવો-સૂત્રોચ્ચાર કરાયા

વરસાદને લીધે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા, મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી બચુ ખાબડની ધરપકડની માગ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિધાનસભાની બહાર ભારે વિરોધ કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code