1. Home
  2. Tag "News Blog"

અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શાળાઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડા-તફડીનો માહોલ સર્જાતો હોય છે. કેટલાક દિવસ પહેલા શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી હતી અને બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ કંઈ ન મળતા ઈ-મેઈલ મોકલનારા સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં આજે ફરીવાર અમદાવાદ અને વડોદરાની 33 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી […]

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કર્યો‘ સૂત્રોચ્ચાર

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આજે રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા મફ કરોનો સૂત્રોચ્ચાર કરાયો હતો. જ્યારે વિધાનસભા પરિસરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે […]

લાખણીના જસરા ગામે અશ્વસ્પર્ધામાં 500થી વધુ અશ્વોએ જમાવ્યુ આકર્ષણ

થરાદ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના લાખણી તાલુકાના અંતરિયાળ એવા જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 500થી વધુ અશ્વો સાથે સવારોએ ભાગ લીધો હતો. અશ્વમેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. લાખણી તાલુકાનું નાનકડું જસરા ગામ અત્યારે જાણે અશ્વ […]

જસદણના શિવરાજપુરમાં યુવકની હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે થયેલી ચકચારી કોળી સમાજના મોભી છગન ઝાપડીયા હત્યા કેસમાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, દરમિયાન મૃતકના પરિવારના સભ્યોએ […]

માતરના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 150ને ફુડ પોઈઝનિંગની અસર

નડિયાદ, 15 ફેબ્રુઆરી-2026:  ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 લોકોને  ખોરાકી ઝેરની અસર થતાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને રાત્રે જ સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગે આઇસ્કીમના નમુના લઈને […]

જેતલસર રેલવે ઓવરબ્રિજ પર કાર પુલની દીવાલ સાથે અથડાતા ત્રણનાં મોત

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: આજે મહા શિવરાત્રીના દિવસે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવરાત્રીના મેળામાંથી ઘરે જવા માટે કારમાં ચાર લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજની દીવાલ સાથે ધડાકા સાથે અથડાતા કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના ટુકડા થઈને રોડની બે બાજુ ફંગોળાયા હતા. […]

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની […]

કલોલ નજીક રબ્બરની ફેકટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી-2026:  જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામની સીમમાં આવેલી એક રબ્બર ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. રબ્બરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિરકાળરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી […]

રાજકોટમાં વસતી ગણતરી માટે પુરતા કર્મચારીઓ ન હોવાથી RMCની મુંઝવણ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: શહેરમાં SIRની કામગીરીથી શિક્ષખો-કર્મચારીઓ ફ્રી પડ્યા ત્યાંજ હવે વસતી ગણતરીની જવાબદારી આવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે તબક્કે વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ ઘરની ગણતરી કરાશે. લોકોએ અન્ય વિગતો પણ આપવી પડશે. વસતી ગણતરીની કામગીરી માટે રાજકોટ મ્યુનિને  5,000 કર્મચારીઓની જરૂર પડશે. જેની સામે આરએમસી તેમજ આરએમસી સંચાલિત સરકારી […]

વડોદરામાં શિવજી કી સવારીમાં હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાં

વડોદરા, 15 ફેબ્રુઆરી-2026:  આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી નિકળતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની નગરચર્યા દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code