1. Home
  2. Tag "News Live"

અમદાવાદમાં SG હાઈવેને ડસ્ટ ફ્રી અને આઈકોનિક બનાવવા UN મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના એસજી હાઈવેને નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હાઈવેની આજુબાજુ ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય […]

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી […]

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકારે વહિવટ સંભાળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને […]

સાબરમતીમાં આસારામ આશ્રમની 45 હજાર ચો.મી જમીન પરત લેવા HCની મંજુરી

અમદાવાદ,5 ફેબ્રુઆરી 2026:   શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીનના મુદ્દે રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ […]

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી […]

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]

એએમસીના ડ્રાફ્ટ બજેટમાં નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચાઈ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગઈકાલે 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ હતું. જેમાં વિવિધ વિકાસના કામોમાં નવુ કતલખાનું બનાવવાની દરખાસ્ત પણ હતી. જેનો ભારે વિરોધ થતા આખરે કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી લેવાઈ છે. ભાજપના જૈન ધારાસભ્ય અને પૂર્વ મેયરે આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું […]

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code