1. Home
  2. Tag "NORTH GUJARAT"

ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોને થતા અન્યાય સામે 3 જિલ્લાના ખેડુતોએ ઘડી રણનીતિ

પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોના અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડુતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ […]

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન 24 કલાકમાં 32 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં નોંધાયો હતો. રાજ્યની મેગાસિટી અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક સ્થળો ઉપર પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે  15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠેક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સબળ ધારાસભ્યોને ભાજપમાં સમાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ દ્વારા વીણી વીણીને કોંગી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી સ્પર્ધા જ ખતમ કરી નાખવાની પોલિસી અપનાવવામાં આવી રહી છે. એપ્રિલના પ્રથમ […]

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે […]

રસીકરણ અભિયાનઃ પાટણમાં બે દિવસમાં 15થી 18 વર્ષના 70 ટકા કિશોરોને રસી આપીને સુરક્ષિત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. પાટણમાં રસીકરણને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં પાટણના 15થી 18 વર્ષના 70 ટકા બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવે તે પૂર્વે તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રની બેઠક મળી […]

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code