ખાદ્યતેલોના ભાવમાં આંશિક ઘટાડો: અસહ્ય મોંઘવારીમાં લોકોને થોડી રાહત મળશે
રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ તો આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ ખાદ્યતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારૂ એવું થયું હતું એટલે સસ્તાભાવે સિંગતેલ મળશે એવી લોકોને આશા હતી. પણ કહેવાય છે કે, મોટાભાગના સિંગદાણાની વિદેશમાં નિકાસ […]


