1. Home
  2. Tag "ORDER"

દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના બંગલાના નવીનીકરણની તપાસ થશે, સીવીસીનો આદેશ

નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલામાં રહેતા હતા, તેના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ આપ્યો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે. આ CPWD રિપોર્ટમાં દિલ્હીના સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતે મુખ્યમંત્રીના […]

મેક્સિકોની ખાડી હવે અમેરિકાની ખાડી તરીકે ઓળખાશે, ટ્રમ્પે આદેશ ઉપર હસ્તાક્ષર કર્યાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવા માટે આદેશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ હસ્તાક્ષર કર્યાં ત્યારે તેઓ પોતાના સત્તાવાર વિમાન એરફોર્સ વનમાં અમેરિકાની ખાડી ઉપરથી ઉડાન ભરી રહ્યાં છે. ટ્રમ્પ ખરેખર ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલમાં હાજરી આપવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવાની જાહેરાત […]

RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું

નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]

અમેરિકાઃ જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના આદેશ પર કોર્ટે સ્ટે ફરમાવ્યો

કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં તેમણે બર્થરાઇટ નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, અને હવે તે કાનૂની લડાઈનો સામનો કરી રહ્યો છે. ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અરજી કરી જન્મજાત નાગરિકતા અંગે ટ્રમ્પના નિર્ણય સામે ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના […]

અમેરિકાઃ જન્મ અધિકાર નીતિમાં ફેરફારના આદેશ સામે 22 રાજ્યોએ દાવો દાખલ કર્યો

અમેરિકાના 22 રાજ્યોના એટર્ની જનરલોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બર્થરાઇટ નીતિમાં ફેરફાર કરવાના પગલા સામે દાવો દાખલ કર્યો. આ નીતિ માતાપિતાના ઇમિગ્રેશન દરજ્જાને ધ્યાનમાં લીધા વિના USમાં જન્મેલા બાળકોને નાગરિકત્વની ગેરંટી આપે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બર્થરાઇટ નીતિને મળેલી મંજૂરી કાનૂની અવરોધોમાં અટવાયેલી હોય તેવું લાગે છે. ટ્રમ્પે દેશની બર્થરાઇટ નીતિની ટીકા કરતા કહ્યું હતું […]

દિલ્હીમાં મહિલા સન્માન યોજના મામલે એલજી દ્વારા તપાસના કરાયા આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં મહિલા સન્માન યોજનાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એલજી સચિવાલયે મહિલા સન્માન યોજનાની તપાસના આદેશ આપ્યા છે. એલજી સચિવાલયે દિલ્હીના મુખ્ય સચિવને સૂચના આપી છે. ડિવિઝનલ કમિશનરને તપાસ કરવા જણાવાયું છે. સચિવાલયે પોલીસ કમિશનરને લાભ આપવાની આડમાં ડેટાની ગોપનીયતાનો ભંગ કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અગાઉ, મહિલા […]

ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને  સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]

CM યોગીના આદેશ પર સંભલમાં પોસ્ટર બહાર પડતાં જ વધુ 11 બદમાશોની ઓળખ બહાર આવી, કાર્યવાહી ચાલુ

સીએમ યોગીએ સંભલ હંગામાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 બદમાશોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે તેમની ઓળખ જાહેર કરી અને તેમના ફોટા અને નામ જાહેર કર્યા. BNS, આર્મ્સ એક્ટ, CL એક્ટ, આર્મ્સ એક્ટ, CLA, પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ વગેરે હેઠળ દરેકની સામે ગંભીર કલમો લગાવવામાં […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

બંગાળમાં CM મમતાએ 140 ગેરકાયદે હોટલ તોડવાની કાર્યવાહી અટકાવી!

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંદારમણિના બીચ પર બનેલી 140 ગેરકાયદે હોટલોને તોડી પાડવાનું કામ અટકાવી દીધું હતું. પૂર્વ મેદિનીપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય પણ બુલડોઝરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સચિવાલયને ડિમોલિશનની કાર્યવાહી વિશે અગાઉથી જાણ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code