1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને અજાણ્યા લોકોએ ઠાર માર્યો

રાવલપિંડી, 27 એપ્રિલ, 2026 – પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં શેખ યુસુફ અફરીદીને ગોળી મારી દેવામાં આવી હતી. શેખ યુસુફ અફરીદી લશ્કર-એ-તૈયબામાં પ્રાંતીય સ્તરે સૌથી પ્રભાવશાળી કમાન્ડરોમાંનો એક માનવામાં આવતો હતો. આ અત્યંત ચોંકાવનારી વાત છે કે શેખ યુસુફ અફરીદી, ખૈબર પખ્તુનખ્વા (KPK) માં સંગઠનનો […]

ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા બે યુવકોની ધરપકડ, ISISની વિચારધારાથી હતા પ્રભાવિત ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા […]

ઈરાની પ્રતિનિધિમંડળ પર હુમલાનું જોખમ: વિમાન બદલીને ગુપ્ત રીતે તેહરાન પહોંચ્યા વિદેશ મંત્રી

તહેરાન, 15 એપ્રિલ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા સાથેની શાંતિ વાર્તા અનિર્ણિત રહ્યા બાદ પરત ફરી રહેલા ઈરાની પ્રતિનિધિમંડળને ગંભીર સુરક્ષા જોખમોનો સામનો કરવો પડ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાની રાજકીય વિશ્લેષક મોહમ્મદ મરાંદીના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ-બાકેર ગાલિબાફ સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે હુમલાના ડરથી અધવચ્ચે જ […]

ઇઝરાયલનો નાશ કરવાની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: બેન્જામિન નેતન્યાહૂ

તેલ અવીવ, 10 એપ્રિલ 2026: અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર મોટો હુમલો કર્યો. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે સખત નિંદા કરવામાં આવી હતી. દરમિયાન, બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનાર પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલી હુમલા અંગે એવી ટિપ્પણીઓ કરી હતી જેનાથી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ […]

પાકિસ્તાનનું ષડયંત્ર: પંજાબમાં આતંક ફેલાવવા સેનાના હેન્ડ ગ્રેનેડ મોકલાયાં

ચંદીગઢ, 9 એપ્રિલ 2026: પંજાબમાં દહેશત ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે સીધી રીતે પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સીમા પારથી જે હેન્ડ ગ્રેનેડ મોકલવામાં આવી રહ્યા છે, તે ચીની બનાવટના નહીં પરંતુ પાકિસ્તાની સેના માટે આયુધ ફેક્ટરી (POF) માં તૈયાર […]

હોર્મુઝ સ્ટ્રેટ મામલે ભારતના વલણને ઈઝરાયેલે આવકાર્યું, લેબનોન પર હુમલા યથાવત

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત છતાં સ્થિતિ હજુ પણ વિસ્ફોટક બનેલી છે. આ દરમિયાન ભારત સ્થિત ઈઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાનની મધ્યસ્થી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈઝરાયેલ પાકિસ્તાનને એક ‘વિશ્વાસપાત્ર ખેલાડી’ તરીકે જોતું નથી. […]

પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: એક તરફ આર્થિક અને આંતરિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ શાંતિ સ્થાપવા માટે બંને દેશોના નેતાઓની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત ફૂંક માર્યા વગર પાકિસ્તાનના પરમ મિત્ર ગણાતા દેશો સાથેના સંબંધો સુધારીને રાજદ્વારી ચેકમેટ આપી રહ્યું છે. ભારત અત્યારે અઝરબૈજાન, તુર્કી, […]

બંગાળ તરફ નજર નાખી તો પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જાણે: રાજનાથ સિંહ

કોલકાતા, 8 એપ્રિલ 2026: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારતને અપાયેલી ‘ગીધડ ભભકી’ પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ ભારતને પડકારવાની ભૂલ ન કરે અને પોતાનો ઈતિહાસ યાદ રાખે. ખ્વાજા આસિફના […]

ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદો તાજી કરાવી

શ્રીનગર, 8 એપ્રિલ 2026: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને પરામર્શ આપતા કહ્યું કે, પાકિસ્તાને કોલકાતા સુધી પહોંચવાની વાતો છોડી દેવી જોઈએ, કારણ કે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેઓ દિલ્હી સુધી પણ પહોંચી શક્યા નહોતા. ગત 4 એપ્રિલના રોજ પાકિસ્તાની રક્ષા […]

મધ્યપૂર્વ સંકટ: ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર

તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થી બનવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના કોઈ પણ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. આ સાથે જ ઈરાને અમેરિકાની શરતોને અસ્વીકાર્ય ગણાવીને સંકટના તાત્કાલિક ઉકેલની શક્યતાઓને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code